GU/Prabhupada 0458 - હરે કૃષ્ણ જપ - કૃષ્ણનો તમારી જીભથી સ્પર્શ કરવો

Revision as of 22:49, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977

પ્રભુપાદ: તો જેમ નરસિંહ દેવે પ્રહલાદ મહારાજના માથાને સ્પર્શ કર્યો, તરત જ તમે પણ તે સુવિધા મેળવી શકો છો. "તે સુવિધા શું છે? કેવી રીતે? નરસિંહ દેવ અહી નથી. કૃષ્ણ અહી નથી." ના. તેઓ અહી જ છે. "તે શું છે?" નામ રૂપે કલી કાલે કૃષ્ણ અવતાર (ચૈ.ચ. આદિ ૧૭.૨૨). કૃષ્ણ તેમના નામ, કૃષ્ણ, થી હાજર છે. એવું ના વિચારો કે આ કૃષ્ણ, હરે કૃષ્ણ, આ નામ, કૃષ્ણથી અલગ છે. નિરપેક્ષ. કૃષ્ણ, કૃષ્ણના અર્ચવિગ્રહ, કૃષ્ણનું નામ, કૃષ્ણ વ્યક્તિ - બધુ જ, એક જ પરમ નિરપેક્ષ સત્ય. કોઈ ભેદ નથી. તો આ યુગમાં ફક્ત કિર્તન દ્વારા: કિર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ: પરમ વ્રજેત (શ્રી.ભા. ૧૨.૩.૫૧). ફક્ત કૃષ્ણના પવિત્ર નામનું કિર્તન અથવા જપ કરવાથી... નામ ચિંતામણી કૃષ્ણ: ચૈતન્ય રસ વિગ્રહ:, પૂર્ણ: શુદ્ધો નિત્ય મુક્ત: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૩). એવું ના વિચારો કે કૃષ્ણનું પવિત્ર નામ કૃષ્ણથી અલગ છે. તે પૂર્ણમ છે. પૂર્ણ: પૂર્ણમ અદ: પૂર્ણમ ઇદમ (ઇશોપનિષદ, આહવાન). બધુ જ પૂર્ણ છે. પુર્ણ મતલબ "પૂરું." અમે આ પૂર્ણતાને અમારા ઇશોપનિષદમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે વાંચ્યું છે. તો કૃષ્ણના પવિત્ર નામ પર વળગેલા રહો. તમને તે જ લાભ મળશે જે પ્રહલાદ મહારાજને મળ્યો નરસિંહ દેવની કમળ હથેળીના પ્રત્યક્ષ સ્પર્શથી. કોઈ ફરક નથી. હમેશા તેવું વિચારો, કે જેવુ તમે હરે કૃષ્ણ જપ કરો છો, તમારે જાણવું જ જોઈએ કે તમે કૃષ્ણનો તમારી જીભથી સ્પર્શ કરી રહ્યા છો. પછી તમને પ્રહલાદ મહારાજ જેવો જ લાભ મળશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય!