GU/Prabhupada 0614 - આપણે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ, પતન મતલબ લાખો વર્ષોનો ગાળો

Revision as of 23:15, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.1 -- Mayapur, February 8, 1976

દેવતાઓની સૂચિ બ્રહ્માજીથી શરૂ થાય છે. તેઓ દેવતાઓ અને બીજા બધા જીવોના મૂળ પિતા છે. તેઓ તેથી પ્રજાપતિ અથવા પિતામહ કહેવાય છે, દાદા, પ્રજાપતિ. તેઓ દરેક વસ્તુના મૂળ છે. ડાર્વિનનો સિદ્ધાંત, એક ધૂર્ત સિદ્ધાંત, કે કોઈ જીવન ન હતું, પણ વેદિક જ્ઞાન પ્રમાણે સૌથી શ્રેષ્ઠ જીવન હતું, બ્રહ્મા. ત્યાંથી જીવનની શરૂઆત થઈ, અને ધીમે ધીમે તેઓ પતિત થયા, ભૌતિક દૂષણ. એવું નહીં કે કોઈ જીવન હતું જ નહીં. જીવનની નીચલી પરિસ્થિતીમાથી વ્યક્તિ ઉપર અને ઉપર ઊઠે છે. તે ખોટો સિદ્ધાંત છે. સાચો સિદ્ધાંત છે કે જીવન સૌથી ઉચ્ચ વ્યક્તિમાથી શરૂ થયું છે, બ્રહ્માજી, પ્રજાપતિ. તો કોઈ પણ શુભ વસ્તુમાં તેઓ આગળ છે, કારણકે તમે ભગવાન સુધી તમારી જીવનની નીચલી સ્થિતિમાં પહોંચી ના શકો. તમે જોયું? જીવનની નીચલી સ્થિતિ મતલબ પાપમય ક્રિયાઓ. તેવી અવસ્થામાં તમે ભગવાન પાસે જઈ ના શકો. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨). (બાજુમાં:) કોણ વાત કરી રહ્યું છે? પવિત્રમ પરમમ ભવાન. કૃષ્ણ પરમ શુદ્ધ છે, પવિત્રમ પરમમ. પરમમ મતલબ સર્વોચ્ચ. તો કોઈ પણ કૃષ્ણ સુધી પહોંચી ના શકે જો તે અશુદ્ધ છે. તે શક્ય નથી. જેમ કે કોઈ ધૂર્તો, તેઓ કહે છે, "તેનો કોઈ ફરક નથી પડતો તમે શું ખાઓ છો, તમે શું કરો છો. તમારા આધ્યાત્મિક વિકાસમાં કોઈ બાધા નથી." આ ધૂર્તો, આ મૂર્ખાઓ, દુનિયાને ગેરમાર્ગે દોરતા કે પરમ વ્યક્તિને સમજવાની બાબતમાં વ્યક્તિ નીચલા વર્ગના વ્યક્તિઓની જેમ વર્તી શકે છે. ના. તે શક્ય નથી. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨).

તો જો તમારે પરમ શુદ્ધ સુધી પહોંચવું હોય, તમારે પણ શુદ્ધ થવું પડે. નહિતો કોઈ શક્યતા નથી. અગ્નિ બન્યા વગર, તમે અગ્નિમાં પ્રવેશ ના કરી શકો. તો તમે બળી જશો. તેવી જ રીતે, ભલે તમે પણ બ્રહ્મ છો... પરબ્રહ્મનો ભાગ પણ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ. આ આપણી ઓળખ છે. પણ કયા પ્રકારનો બ્રહ્મ? પણ સૂક્ષ્મ ભાગ, સૂક્ષ્મ અંશ. જેમ કે તણખલું અને આખી અગ્નિ. બંને અગ્નિ છે, પણ તણખલું તે તણખલું છે, અને મોટી અગ્નિ તે મોટી અગ્નિ છે. તો તણખલું તે મોટી અગ્નિ ના બની શકે. જો તેણે તેવું બનવું હોય તો, તે નીચે પડી જાય છે. તો જે પણ થોડો ઘણો પ્રકાશ છે, અગ્નિ, તે બુઝાઈ જાય છે. જો તણખલું ઉદ્ધતાઈથી મોટી અગ્નિ બનવાની ઈચ્છા કરે, તો તે નીચે પડી જાય છે. આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતિ અધ: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). આરૂહ્ય કૃચ્છેણ, ઘણી તીવ્ર તપસ્યાઓ દ્વારા, તમે નિરાકાર બ્રહ્મ સુધી પહોંચી શકો છો, પણ તમે ફરીથી પતિત થશો. તે હકીકત છે. તો ઘણા વ્યક્તિઓ, તેઓ પરબ્રહ્મના અસ્તિત્વમાં લીન થવાનો પ્રયાસ કરે છે, પણ પરિણામ છે કે તેઓ પતિત થાય છે. તેમણે પતિત થવું જ પડે. તે શક્ય નથી. આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતિ અધો અનાદ્રત અંઘ્રય: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). કૃષ્ણના ચરણકમળની પૂજા કરવાની દરકાર કર્યા વગર, તેઓ પતિત થઈ રહ્યા છે. તો આપણે ખૂબ, ખૂબ જ સાવચેત રહેવું જોઈએ કે કૃષ્ણની સમાન અથવા તેમનાથી મહાન બનવાનો પ્રયાસ ના કરીએ. ઘણા ધૂર્તો છે, તેઓ કહે છે કે "ફલાણો અને ફલાણો ધૂર્ત કૃષ્ણ કરતાં મહાન છે." હું તેમના નામ કહેવાની ઈચ્છા નથી કરતો. તે ધૂર્તો, તેઓ કહે છે કે "ઔરોબિંદો કૃષ્ણ કરતાં મહાન છે." તેઓ તેવું કઈક કહે છે. તમને ખબર છે? તો આ, જગત, ધૂર્તો અને મૂર્ખાઓથી ભરેલું છે. આપણે... ખૂબ જ સાવચેતીપૂર્વક અને બુદ્ધિથી આપણે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવી પડે. તેને બહુ ગૌણ રીતે ના લેશો. આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. નહિતો પતન છે, અને એક વારનું પતન મતલબ લાખો વર્ષોનો ગાળો. તમને આ મનુષ્ય જીવન કૃષ્ણ ભાવનામૃત પૂરું કરવા માટે મળ્યું છે, પણ જો તમે ગંભીર નથી, તો ફરીથી લાખો વર્ષોનો ગાળો થઈ જશે.

તેથી આપણું કર્તવ્ય છે તાંદેર ચરણ સેવી, ભક્ત સને વાસ. આપણે ભક્તો સાથે રહેવું જોઈએ અને આચાર્યોની સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. આચાર્યમ મામ વિજાનીયાન નાવમન્યેત કરહિચિત (શ્રી.ભા. ૧૧.૧૭.૨૭). વ્યક્તિએ આચાર્યને કૃષ્ણ જ સમજવા જોઈએ. તેમનું અપમાન ના કરો. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરૌ (શ્વે.ઉ. ૬.૨૩). આ વિધાનો છે. તો આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. જેમ કે અહિયાં પણ. બ્રહ્માદય, મોટા, મોટા દેવતાઓ, તેઓ ભગવાનને શાંત ના પાડી શક્યા. તેઓ ગુસ્સે હતા. એવાં સુરાદય: સર્વે બ્રહ્મ રુદ્ર પુર: સરા: (શ્રી.ભા. ૭.૯.૧). મોટા, મોટા વ્યક્તિઓ, રુદ્ર, ન ઉપૈતુમ. ન ઉપૈતુમ મન્યુ. તેઓ શાંત ન પાડી શક્યા, અને સંરંભમ સુદ્રાસદમ. સુદ્રાસદમ, ખૂબ, ખૂબ જ મુશ્કેલ. એક વાર આપણે કૃષ્ણ દ્વારા તિરસ્કાર પામીએ છીએ, તે ખૂબ, ખૂબ જ મુશ્કેલ છે ફરીથી ઉપર ઊઠવું. મૂઢા જન્મની જન્મની (ભ.ગી. ૧૬.૨૦). જીવન પર જીવન આપણે તિરસ્કૃત રહીશું. તે આપણો દંડ છે. તો એવું કશું ના કરો જે કૃષ્ણને નાખુશ કરે. ફક્ત પોતાને ભગવાનની સેવામાં જોડો. બહુ જ સરળ વસ્તુ. મન્મના ભવ મદભકતો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). બસ હમેશા તેમના વિશે વિચારો. બીજા કોઈ વિશે, બીજી જોઈ વસ્તુ વિશે વિચારો નહીં. સર્વોપાધિ વિનિર્મૂક્તમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). અન્યાભિલાષીતા શૂન્યમ (ભ.ર.સિ. ૧.૧.૧૧). ફક્ત કૃષ્ણ માટે તમારી સેવાને જાળવી રાખવાનો પ્રયત્ન કરો. ચોવીસ કલાક પ્રવૃત્તિ છે, અને પાલન કરવાનો પ્રયત્ન કરો. તેને અવગણશો નહીં. તે તમારા જીવનને સફળ બનાવશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ. (અંત)