GU/Prabhupada 0654 - તમે ભગવાનને તમારા પ્રયાસો દ્વારા જોઈ ના શકો કારણકે તમારી ઇન્દ્રિયો અર્થહીન છે

Revision as of 23:21, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969

જેમ કે ભગવદ ગીતામાં તે કહ્યું છે:

પત્રમ પુષ્પમ ફલમ તોયમ
યો મે ભક્તયા પ્રયચ્છતી
તદ અહમ ભક્તિ ઉપહર્તમ
અશ્નામી પ્રયતાત્મન:
(ભ.ગી. ૯.૨૬)

"જો કોઈ વ્યક્તિ મને ફૂલ, ફળ, શાકભાજી, દૂધ અર્પણ કરે છે, ભક્તિમય પ્રેમથી, હું તેનો સ્વીકાર કરું છું અને ખાઉ છું." હવે કેવી રીતે તેઓ ખાઈ રહ્યા છે, તે તમે અત્યારે જોઈ ના શકો - પણ તેઓ ખાઈ રહ્યા છે. તે આપણે રોજ અનુભવીએ છીએ. આપણે કૃષ્ણને અર્પણ કરીએ છીએ, વિધિ અનુસાર, અને તમે જુઓ છો કે ખોરાકનો સ્વાદ તરત જ બદલાઈ જાય છે. તે વ્યવહારિક છે. તેઓ ખાય છે, પણ કારણકે તેઓ પૂર્ણ છે, તેઓ આપણી જેમ નથી ખાતા. જેમ કે જો હું તમને એક ખોરાકથી ભરેલી થાળી આપું, તમે ખતમ કરી દેશો. પણ ભગવાન ભૂખ્યા નથી, પણ તેઓ ખાય છે. તેઓ ખાય છે અને વસ્તુઓને જેવી હતી તેમ જ રાખી દે છે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (શ્રી ઇશોપનિષદ, આહવાન). ભગવા એટલા પૂર્ણ છે, કે તેઓ તમે અર્પણ કરેલા બધા જ ભોજનને ગ્રહણ કરી શકે છે, છતાં તે તેવું જ રહે છે. તેઓ તેમની આંખોથી ખાઈ શકે છે. તે બ્રહ્મસંહિતામાં કહેલું છે: અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતિ (બ્ર.સં. ૫.૩૨). ભગવાનના શરીરના દરેક ભાગને બીજા ભાગ જેટલી જ શક્તિ હોય છે. જેમ કે તમે તમારી આંખોથી જોઈ શકો છો. પણ તમે તમારી આંખોથી ખાઈ ના શકો. પણ ભગવાન, જો તેઓ ફક્ત તમે અર્પણ કરેલા ભોગને જુએ છે, તે તેમનું ખાવાનું છે.

તો આ વસ્તુઓ વર્તમાન સમયમાં સમજી ના શકાય. તેથી આ પદ્મ પુરાણ કહે છે, કે ફક્ત જ્યારે વ્યક્તિ ભગવાનની દિવ્ય સેવાથી આધ્યાત્મિક રીતે લીન બની જાય છે, ત્યારે, ભગવાનના દિવ્ય નામ, રૂપ, ગુણ અને લીલા તમારી સમક્ષ પ્રકટ થાય છે. તમે તમારા પોતાના પ્રયાસોથી સમજી ના શકો, પણ ભગવાન પોતાને પ્રકટ કરે છે. જેમ કે અત્યારે તમારે સૂર્યને જોવો છે. અત્યારે અંધકાર છે. જો તમે કહો, "ઓહ મારી પાસે ખૂબ જ શક્તિશાળી ટોર્ચ છે. ચાલો, હું તમને સૂર્યપ્રકાશ, સૂર્ય બતાવીશ." તમે બતાવી ના શકો. પણ જ્યારે સૂર્ય તેની પોતાની ઇચ્છાથી ઊગશે સવારે, તમે જોઈ શકો છો. તેવી જ રીતે તમે ભગવાનને તમારા પ્રયાસો દ્વારા જોઈ ના શકો કારણકે તમારી ઇન્દ્રિયો અર્થહીન છે. તમારે તમારી ઇન્દ્રિયોને શુદ્ધ કરવી પડે અને તમારે સમયની પ્રતિક્ષા કરવી પડે જ્યારે ભગવાન તમારી સમક્ષ પોતાને પ્રકટ કરવા માટે પ્રસન્ન થશે. તે વિધિ છે. તમે પડકાર ના આપી શકો. "ઓહ મારા પ્રિય ભગવાન, મારા પ્રિય કૃષ્ણ, કૃપા કરીને આવો. હું તમને જોઈશ." ના, ભગવાન તમારા આજ્ઞાકારી, તમારા સેવક નથી. તો જ્યારે તેઓ પ્રસન્ન થશે, તમે જોશો.

તો આપણી વિધિ છે કે કેવી રીતે તેમને પ્રસન્ન કરવા જેથી તેઓ મારી સમક્ષ પોતાને પ્રકટ કરે. તે સાચી વિધિ છે. તેથી તે લોકો એક બકવાસ ભગવાનને ભૂલથી સ્વીકારે છે. કારણકે તેઓ ભગવાનને જોઈ નથી શકતા, કોઈ પણ કહે છે કે "હું ભગવાન છું," તેનો સ્વીકાર થાય છે. પણ તે લોકો જાણતા નથી કે ભગવાન શું છે. કોઈ વ્યક્તિ કહે છે કે "હું સત્યની શોધ કરી રહ્યો છું." તમારે જાણવું પડે કે સત્ય શું છે. નહિતો તમે કેવી રીતે સત્યની શોધ કરી રહ્યા છો? ધારોકે જો તમારે સોનું ખરીદવું છે. તમારે સૈદ્ધાંતિક રીતે જાણવું પડે, અથવા ઓછામાં ઓછું અનુભવ કરવો પડે કે સોનું શું છે. નહિતો લોકો તમને છેતરી દેશે. તો આ લોકો છેતરાઈ રહ્યા છે, ઘણા બધા ધૂર્તોને ભગવાન સ્વીકારીને. કારણકે તેઓ જાણતા નથી કે ભગવાન શું છે. કોઈ પણ આવે છે અને કહે છે, "ઓહ, હું ભગવાન છું," અને ધૂર્ત - તે ધૂર્ત છે, અને માણસ કે જે કહે છે કે "હું ભગવાન છું," તે પણ ધૂર્ત છે. ધૂર્ત સમાજ, અને એક ધૂર્તનો ભગવાન તરીકે સ્વીકાર કરાઇ રહ્યો છે. ભગવાન તેવા નથી. વ્યક્તિએ ભગવાનને જોવા માટે, સમજવા માટે, પોતાને યોગ્ય બનાવવો પડે. તે કૃષ્ણ ભાવનામૃત છે. સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદ: (ભક્તિ રસામૃત સિંધુ ૧.૨.૨૩૪). જો તમે પોતાને ભગવાનની સેવામાં પ્રવૃત્ત કરો, તો તમે ભગવાનને જોવા માટે યોગ્ય બનો છો. નહિતો તે શક્ય નથી. આગળ વધો.