GU/Prabhupada 1061 - ભગવદ ગીતાની વિષય વસ્તુ પાંચ પ્રકારના સત્યોને/તત્ત્વોને સમજાવે છે



660219-20 - Lecture BG Introduction - New York

તો ભગવાન કૃષ્ણ, તેઓ અવતરિત થાય છે, યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતી (ભ.ગી. ૪.૭), જીવનના આ સાચા લક્ષ્યને સ્થાપિત કરવા માટે. જ્યારે મનુષ્ય જીવનના આ સાચા લક્ષ્યને ભૂલી જાય છે, માનવ જીવનનું લક્ષ્ય, ત્યારે તેને કેહવાય છે ધર્મસ્ય ગ્લાની, મનુષ્યના કાર્યોમાં વિચલન. તો તે પરીસ્થીતીઓમાં, કેટલા બધા મનુષ્યોમાંથી જે માણસ, જાગૃત થાય છે, તેની પરિસ્થિતિને સમજવા માટે જાગૃત થાય છે, તેના માટે આ ભગવદ ગીતા કહેવાયેલી છે. માયા નામની વાઘણે આપણને ગળી લીધા છે, અને ભગવાન, જીવોના ઉપર તેમની અહૈતુકી કૃપા રાખીને, વિશેષ કરીને મનુષ્ય માટે, તેમણે આ ભગવદ ગીતા કહી છે, તેમના મિત્ર અર્જુનને વિદ્યાર્થી બનાવીને.

અર્જુન અવશ્ય... ભગવાનનો પાર્ષદ હોવાથી, અવશ્ય તે બધા પ્રકારના અજ્ઞાનથી પરે હતો. પણ છતાં, અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધસ્થળ પર અજ્ઞાનમાં નાખી દીધો હતો જેથી તે પરમ ભગવાનને જીવનની સમસ્યાઓના સંબંધે પ્રશ્ન પૂછી શકે, જેથી ભગવાન તેને મનુષ્યોના ભવિષ્યની પેઢીના હિત માટે સમજાવી શકે, તેના જીવનની યોજના બનાવીને તે પ્રકારે કાર્ય કરવા માટે, જેનાથી તેનું જીવન, મનુષ્ય જીવનનું લક્ષ્ય, પૂર્ણ થઇ શકે.

તો આ ભગવદ ગીતાની વિષય વસ્તુ, પાંચ વિવિધ પ્રકારના તત્ત્વોને સમજાવે છે. પેહલું સત્ય છે કે ભગવાન શું છે. તે ભગવાનના વિજ્ઞાનનો પ્રાથમિક અભ્યાસ છે. તો ભગવાનનું તે વિજ્ઞાન અહી સમજાવામાં આવેલું છે. પછી, જીવોની બંધારણીય સ્થિતિ, જીવ. ઈશ્વર અને જીવ. પરમ ભગવાનને ઈશ્વર કહેલાં છે. ઈશ્વર એટલે કે નિયંત્રક, અને જીવો... જીવો, તેઓ ઈશ્વર કે નિયામક નથી. તેઓ નિયંત્રિત છે. કૃત્રિમ રૂપે, જો હું કહું કે "હું નિયંત્રિત નથી, હું મુક્ત છું," આ એક ડાહ્યા માણસનું લક્ષણ નથી. એક જીવ બધા પ્રકારે નિયંત્રિત છે. ઓછા માં ઓછું, તેની બદ્ધ અવસ્થામાં તે નિયંત્રિત છે. તો આ ભગવદ ગીતાની વિષય વસ્તુ ઈશ્વર વિશે સમજાવે છે, પરમ નિયામક વિશે, અને નિયંત્રિત જીવોના વિશે, અને પ્રકૃતિ; ભૌતિક પ્રકૃતિ. અને પછી, કાલ, અથવા તો આ ભૌતિક જગતના અસ્તિત્વનો સમય ગાળો. કે આ ભૌતિક પ્રકૃતિનું પ્રાકટ્ય, અને સમયનો ગાળો, કે શાશ્વત કાળ. અને કર્મ. કર્મ એટલે કે કાર્યો. બધું, આખી દુનિયા, આખું જગત વિવિધ પ્રકારના કાર્યોથી ભરેલું છે. વિશેષ કરીને જીવો, તેઓ વિવિધ પ્રકારના કાર્યોમાં લાગેલા છે. તો આપણે ભગવદ ગીતાથી જાણવું જોઈએ કે ઈશ્વર, કે ભગવાન શું છે, જીવ, આ જીવો શું છે, અને પ્રકૃતિ, આ ભૌતિક વ્યવસ્થા શું છે, અને કેવી રીતે તે કાળ દ્વારા નિયંત્રિત છે, અને કર્મો શું છે?

હવે આ પાંચ વિષય વસ્તુઓમાંથી, ભગવદ ગીતામાં તે સ્થાપિત થયેલું છે કે, પરમ ભગવાન કે કૃષ્ણ, કે બ્રહ્મ કે પરમાત્મા... તમે તેમને જે ઈચ્છો તે બોલાવી શકો છો. પણ પરમ નિયામક. એક પરમ નિયામક છે. તો તે પરમ નિયામક સૌથી મહાન છે. અને જીવ, ગુણમાં તે પરમ નિયામકની સમાન છે. જેમ કે પરમ નિયામક, ભગવાન, તેમને જગતના બધા કાર્યો ઉપર નિયંત્રણ છે, ભૌતિક પ્રકૃતિ ઉપર, કેવી રીતે... તે ભગવદ ગીતાના પછીના અધ્યાયોમાં સમજાવવામાં આવશે કે આ ભૌતિક પ્રકૃતિ સ્વતંત્ર નથી. તે પરમ ભગવાનના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). "આ ભૌતિક પ્રકૃતિ મારા નિર્દેશન હેઠળ કાર્ય કરે છે," મયાધ્યક્ષેણ," મારા નેતૃત્વમાં."