GU/Prabhupada 0252 - આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ
Lecture on BG 2.6 -- London, August 6, 1973
તો આ બધા ભૌતિકવાદી વ્યક્તિયો,તે એટલા બધા મૂર્ખો,લુચ્ચાઓ,દુશ્ક્રીતીયો છે,તે આ ભૌતિકવાદી કાર્યોને વધાવે છે. તે વિચારે છે કે આ ભૌતિક કાર્યોને વધાવીને તે સુખી બનશે.નહિ.તે સંભવ નથી. દુરાશાયા યે..અને તેમના નેતાઓ... અંધા યથા-અંધૈર ઉપનીયામાનસ તે'પીસ તંત્રા ઉરુ દામ્ની બધ્ધા (શ્રી.ભાગ.૭.૫.૩૧). આપણે બધા ખૂબજ કડકાઈથી બાંધેલા છીએ,હાથ અને પગ,અને આપણે વિચારીએ છીએ કે આપણે મુક્ત છીએ,સ્વતંત્ર છીએ. ભૌતિક પ્રકૃતિના નિયમોના અનુસારે...છતાં,આપણે વિચારીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ. વૈજ્ઞાનિક ભગવાનને અસ્વીકાર કરવાનો પ્રયાસ કરે છે,વિજ્ઞાન દ્વારા સ્વતંત્ર.તે સંભવ નથી. આપણે ભૌતિક પ્રકૃતિના કબ્જામાં છીએ. ભૌતિક પ્રકૃતિ એટલે કે કૃષ્ણનો મરફતીયો છે. મયાધ્યક્શેન પ્રકૃતિ સુયતે સ ચરાચરમ (ભ.ગી.૯.૧૦). પ્રકૃતેહ ક્રીયામાનાની ગુનૈહ કારમાંની સર્વશ. (ભ.ગી. ૩.૨૭) તો આપણે હમેશા ચિંતામાં હોવે છીએ,અર્જુનના જેમ,શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, પણ જો આપણે તે સિદ્ધાંત અપનાવશે,કે"આપણને કૃષ્ણ માટે કરવું જોઈએ..." તો કૃષ્ણ અને કૃષ્ણના પ્રતિનિધિથી નિર્દેશન લઈને તમે કરો, ત્યારે કોઈ કર્મ બંધન નથી.કર્માની નીર્દહતી કિન્તુ ચ ભક્તિ ભાજામ(બ્ર.સન.૫.૫૪) નહીતર,દરેક કાર્યના પરિણામથી આપણે બાધ્ય થઈએ છીએ.આપણે બાહર નથી આવી શકતા. તો આ ચિંતા,"શું હું લડીશ કે ના લડીશ," તેને સમજાવામાં આવશે કે,"હા,તને કૃષ્ણ માટે લડવું જોઈએ.ત્યારે ઠીક છે." કામ: કૃષ્ણ-કર્માંર્પણે.જેમ કે હનુમાન. તે ભગવાન શ્રી રામચંદ્ર માટે લડ્યા.તે પોતે માટે નથી લડ્યા. તેમજ,અર્જુન પણ,તેમની ધ્વજા કપિ-ધ્વજ છે,તેમની ધ્વજા ઉપર હનુમાનજી નો ચિહ્ન છે. તેમને ખબર હતી. તો હનુમાન,એક મહાન યોદ્ધા,રાવણ સાથે લડ્યો,તેના પોતાના સ્વાર્થ માટે નહિ, જરૂરત હતી કેવી રીતે સીતાજીને રાવણના હાથેથી બાહર કાઢવું, આખા પરિવારને maari નાખવું,અને કેવી રીતે તેમને ભગવાન શ્રી રામચંદ્રના બાજુમાં બેસાડવું. આ હનુમાનજીની,ભક્તોની નીતિ છે. અને રાવણની નીતિ છે,"સીતાને રામના હાથથી છીણીને તેનો ભોગ કરવો." તે રાવણની નીતિ છે.અને હનુમાનની નીતિ છે:"સીતાજીને રાવણ પાસેથી લઈને રામજીના પાસે બેસાડવું." તે જ સીતા.સીતા એટલે કે લક્ષ્મી. તો લક્ષ્મી એટલે કે નારાયણની સંપત્તિ છે,ભગવાનની સંપત્તિ છે. તો આપણને શીખવું જોઈએ કે આ બધા ભૌતિકવાદી વ્યક્તિયો,રાવણ,તે ભગવાનની સંપત્તિનો ભોગ કરવાનો પ્રયાસ કરે છે. એક રીતે કે બીજી રીતે...હવે આપણે રાવણ જેવા લોકો સાથે લડી નથી શકતા. તે...આપણે એટલા મજબૂત નથી.તેથી અમે નીતિ અપનાવી છે ભિખારી બનવાની. "સાહિબ,તમે એટલા સારા માણસ છો.કૃપા કરીને અમને કઈ આપો." કારણ કે તમે તમારું જીવન બગાડો છો ભગવાનની સંપત્તિને રાખીને,તેથી તમે નરકમાં જાવો છો." તો તમે એક રીતે કે બીજી રીતે,તમે સદસ્ય બની જાવો,ત્યારે તમે બચાઈ જશો.તમે સુરક્ષિત હશો." તે અમારી નીતિ છે.અમે ભિખારી નથી.પણ તે અમારી નીતિ છે. હવે,અમે એટલા મજબૂત નથી રાવણો સાથે લડવા માટે;નહીતર અમે બધું ધન લઇ લીધું હોત લડીને. પણ તે સંભવ નથી.અમે એટલા મજબૂત નથી.તેથી અમે ભિખારીનો રૂપ ધારણ કર્યું છે.ખૂબ ખૂબ ધન્યવાદ.