GU/Prabhupada 0304 - માયા પરમ સર્વોચ્ચને ઢાંકી ના શકે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0304 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 09:53, 2 June 2017



Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ:ચાલતા જાઓ.

તમાલ કૃષ્ણ:"આ ભેદાભેદ સંબંધમાં હંમેશા રહે છે જીવો અને પરમાત્માના વચ્ચે."

પ્રભુપાદ:હવે આ ભેદાભેદ,જરા તે જ ઉદાહરણ લો,જામીન, કોઈ કહે છે,"ઓહ,મેં જોયું કે તે ભાગ જળ છે" અને કોઈ કહે છે કે,"નહિ.મેં જોયું કે તે જ ભાગ જમીન છે" તો એક સાથે ભેદ અને અભેદ.એક સાથે જ ભેદ અને અભેદ. આપણી પરિસ્થિતિ છે....કારણ કે આપણે આત્મા છીએ અને કૃષ્ણ,ભગવાન,આત્મા છે... તે પૂર્ણ આત્મા છે અને હું તે આત્માનો અંશ છું. જેમ કે સૂર્ય,સૂર્ય-ગ્રહ,અને સૂર્ય-કિરણો, ચમકતા કણો,તે પણ સૂર્ય-કિરણો છે. તે સૂર્ય-કિરણોનું મેળાપ જ આપણને સૂર્ય કિરણો આપે છે, તો આપણે પણ ચમકીયે છીએ જેમ કે સૂર્ય ગ્રહના કણો ની જેમ, પણ આપણે તે પૂર્ણ સૂરજથી સમાન નથી. તે ચમકતા કણો,સૂર્યના પરમાણુઓ,સૂર્યના ગ્રહથી સમાન નથી, પણ ગુણમાં તે સમાન છે.તેમજ,આપણે જીવો, આપણે નાનકડા અંશો છીએ તે પરમ આત્મા કૃષ્ણ કે ભગવાનના. તેથી આપણે પણ ચમકીયે છીએ.આપણે પણ તે જ ગુણના છે. જેમ કે સોનાનું નાનકડું અંશ સોનુ છે.તે લોખંડ નથી. તેમજ,આપણે બધા આત્મા છીએ,તેથી આપણે બધા એક જ છે. પણ કારણ કે હું અણુ છું..જેમ કે તે જ ઉદાહરણ. તટસ્થ શક્તિ ખૂબજ નાનું હોવાથી,તે થોડા સમયે જળ દ્વારા આચ્છાદિત થાય છે. પણ તે જમીનનો મોટો ભાગ,તે વગર કોઈ જળના છે. તેમજ,માયા અણુ આત્માના નાનકડા અંશોને આચ્છાદિત કરી શકે છે. પણ માયા આખા પરમને આચ્છાદિત નથી કરી શક્તિ. જેમ કે તે જ ઉદાહરણ,આકાશ,સૂર્ય કિરણો, તે સૂર્યકિરણો,સૂર્યકિરણોનો ભાગ,તે વાદળ દ્વારા આચ્છાદિત હોય છે. પણ જો તમે હવાઈ જહાજ દ્વારા ઉડશો,વાદળના ઉપર, તમને મળશે કે સૂર્યકિરણો વાગર કોઈ વાદળના છે. વાદળ આખા સૂર્ય કિરણોને ઢાકી નથી શકતું. તેમજ,માયા આખા પરમને ઢાકી નથી શકતું. માયા બ્રહ્મના નાનકડા કણોને આચ્છાદિત કરી શકે છે, સિદ્ધાંત,માયાવાદી સિદ્ધાંત છે કે: "હવે હું માયા દ્વારા આચ્છાદિત છું.જેમજ તે આવરણ હટી જાશે,હું તે સર્વ સાથે એક બની જઈશ..." આપણે પણ તે આખા સાથે એક છે તે જ રીતે.જેમ કે સૂર્ય કિરણ,અને સૂર્ય ગ્રહ,ગુણમાં કોઈ પણ અંતર નથી. જ્યારે પણ સૂરજ હોય છે,સૂર્ય કિરણ હોય છે,પણ નાનકડા કણો, સૂર્યકિરણના નાનકડા કણો,ક્યારે પણ તે સૂર્ય ગ્રહ સાથે એક નથી થઇ શકતા. તે વર્ણિત થાય છે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ અધ્યાયમાં.