GU/680615 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:21, 1 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મહિલાઓ અને સજ્જનો, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આપણી અસલ ચેતનાને જીવંત કરી રહ્યું છે. હાલના ક્ષણે, પદાર્થ સાથેના આપણા લાંબા સમય સુધી જોડાણને લીધે, ચેતના દૂષિત થઈ ગઈ છે, જેમ વરસાદનું પાણી વાદળ પરથી નીચે પડે છે, પાણી શુદ્ધ છે, નિસ્યંદિત છે, શુદ્ધ, પરંતુ જેવું પાણી નીચે આ પૃથ્વી પર પડે છે, તે ઘણી બધી ગંદી વસ્તુઓ સાથે ભળી જાય છે. જ્યારે પાણી પડે છે, ત્યારે તે ખારું નથી હોતું, પરંતુ જ્યારે તે પદાર્થ અથવા પૃથ્વીને સ્પર્શે છે, ત્યારે તે ખારું, અથવા કંઈક બીજું બની જાય છે. તેવી જ રીતે, મૂળરૂપે, આત્મા તરીકે, આપણી ચેતના શુદ્ધ છે, પરંતુ હાલના ક્ષણે આપણા પદાર્થ સાથેના જોડાણને લીધે, આપણી ચેતના દૂષિત છે."
680615 - ભાષણ - મોંટરીયલ