GU/681018b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે હજારો હજારો મીલ દૂરથી પણ તમે દૂરદર્શનના ચિત્રો કે રેડિયોનો ધ્વનિ પ્રસારિત કરી શકો છો,તેમજ,જો તમે પોતાને તૈય્યાર કરી શકો છો,ત્યારે તમે હંમેશા ગોવિંદને જોઈ શકો છો.તે મુશ્કેલ નથી.તે બ્રહ્મ સંહિતામાં કહેવાયેલું છે,પ્રેમાંજન-છુરિત-ભક્તિ-વિલોચનેન.માત્ર તમને તમારા આંખોને,તમારા મનને તે રીતે તૈય્યાર કરવો જોઈએ.અહીં એક દૂરદર્શનની પેટી છે તમારા હૃદયમાં.તે યોગની પરિપૂર્ણતા છે.એમ નથી કે તમને કોઈ એક યંત્રને કે દૂરદર્શનના સેટને ખરીદ કરવું પડે.તે ત્યાં છે,અને ભગવાન પણ ત્યાં છે.તમે જોઈ શકો છો,તમે સાંભળી શકો છો,તમે વાત કરી શકો છો,જો તમારા પાસે આ યંત્ર છે,તમે તેને સુધાર કરો,બસ.તે સુધાર કરવાની વિધિ છે કૃષ્ણ ભાવનામૃતનો."
681018 - ભાષણ - સિયેટલ