GU/700220b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચેતનાની માત્રા/સંખ્યા જ ભગવાન અને જીવના વચ્ચે અંતર છે.આપણી ચેતના સીમિત છે,અને કૃષ્ણની ચેતના અસીમિત છે,અગાધ છે.તો આપણે આપણા પૂર્વ જન્મો વિષે બધું ભૂલી ગયા હશે,પણ કૃષ્ણ ભૂલતા નથી.કૃષ્ણ તમારા દરેક કાર્યનો હિસાબ રાખે છે.તે તમારા હૃદયમાં વસે છે:ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ દેશે અર્જુન-તિષ્ઠતિ(BG 18.61).તે હિસાબ રાખે છે.તમને કઈ કરવું હતું."ઠીક છે,"કૃષ્ણ કહે છે,"તે કર."તને વાઘ બનવું હતું ને?"ઠીક છે,"કૃષ્ણ કહે છે,"તું વાઘ બન,અને તું પશુનો શિકાર કર અને તાજો રક્ત ચૂસીને,તારા ઇન્દ્રિયોને તૃપ્ત કર."તો કૃષ્ણ તમને તક આપે છે.તેમજ જો તમને કૃષ્ણ-આઇટ બનવું છે,કૃષ્ણ ભાવનાભાવિત,અને તેમના સાથે આનંદ માણવું છે,તે તમને સગવડ આપશે.બધા સગવડો તે તમને આપશે.જો તમને કઈ પણ બનવું છે,તે તમને પૂર્ણ સગવડ આપશે.જો તમે તેમને ભૂલવા માગો છો,તે તમને એટલી બુદ્ધિ આપશે કે તમે તેમને હંમેશા માટે ભૂલી જશો.અને જો તમને તેમના સાથે સંગ કરવું છે,તે તમને તક આપશે,સ્વયંનો સંગ,જેમ કે ગોપીયો,ગવાલ બાળકો,કૃષ્ણ સાથે રમતા."
700220 - ભાષણ Initiation Sannyasa - લોસ એંજલિસ