GU/Prabhupada 0011 - આપણે કૃષ્ણને મનમાં પૂજી શકીએ છીએ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0011 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(No difference)

Revision as of 13:36, 2 April 2015



Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 4.28 -- Bombay, April 17, 1974

ભક્તિ રસામૃત સિંધુ માં એક કથા છે..કથા નથી,એ વાસ્તવ ની ઘટના છે ત્યાં વર્ણન થયેલ છે કે એક બ્રાહ્મણ હતો..તે મોટો ભક્ત હતો -તેને મંદિર ની પૂજા-અર્ચના માં બહુ સારી સેવા કરવાની ખુબજ ઈચ્છા હતી પણ તેના પાસે પૈસા ન હતા પણ એક દિવસ તે એક ભાગવત-કક્ષ માં બેઠો હતો અને તેએ સાંભળ્યું કે કૃષ્ણ ને મનથી પણ પૂજી શકે છે તો તેને આ તકનું લાભ લીધું કારણ કે તે લાંબા સમય થી આના વિષયે સોચી રહ્યો હતો કેમ તે ખૂબજ ભવ્ય રીતે કૃષ્ણ ની પૂજા કરી શકે,પણ તેના પાસે ધન ન હતો તો તેને જયારે આ વાત ખબર પડી કે કૃષ્ણ ને મન થી પણ પૂજી શકીએ છે તો ગોદાવરી નદી માં સ્નાન કરીને તે એક વૃક્ષ ન નીચે બેસી ગયો અને તેના મનમાં એક ભવ્ય સિંહાસન ની રચના કરી જે રત્ન થી શણગારેલ હતું,અને શ્રી વિગ્રહ ને સિંહાસન ઉપર રાખી તે શ્રી વિગ્રહ ને સ્નાન કરાવી રહ્યા હતા ગંગા,યમુના,ગોદાવરી,નર્મદા,કાવેરી નદિયોં ના પાણી થી પછી તે શ્રી વિગ્રહ નું શૃંગાર બહુ સુંદર રીતે કરી,પછી પુષ્પ અને માળા ને અર્પણ કર્યા પછી તે બહુ સરસ રીતે રસોઈ કરી રહ્યો હતો,અને તે પરમાન્ન,મીઠું ભાત,બનાવી રહ્યો હતો તો તે તેને પરીક્ષા કરવા માગતો હતો,કે તે ખૂબજ ગરમ છે કારણ કે પરમાન્ન ઠંડા થયા પછી લેવાય છે,પરમાન્ન ગરમ હોય ત્યારે લેવાતું નથી તો તેએ પોતાનું હાથની આંગળી પરમાન્ન ઉપર રાખ્યું અને તેની આંગળી બળી ગયી પછી તેનું ધ્યાન તૂટી ગયું,કારણ કે ત્યાં કઈ પણ ન હતું તેના મન માજ તે બધું કરી રહ્યો હતો તો..પણ તેને જોયું કે તેની આંગળી બળી ગયી હતી.એટલે તે આશ્ચર્ય પામી ગયો આ રીતે,વૈકુંઠ માં નારાયણ.તે હસી રહ્યા હતા લક્ષ્મીજીએ પૂછ્યું,"કેમ તમે હસી રહ્યા છો" ? "મારો એક ભક્ત મને આ રીતે પૂજી રહ્યો છે. તો મારા માણસો ને મોકલો તેને તરતજ વૈકુંઠ માં લાવવા માટે " તો ભક્તિ-યોગ એટલી સરસ છે કે તમારા પાસે શ્રી વિગ્રહ ના ભવ્ય સેવા માટે કોઈ સાધન ના હોવા છતાં તમે તેને મન માં પણ કરી શકો છો.તે પણ સંભવ છે.