GU/Prabhupada 0082 - કૃષ્ણ બધી જગ્યાએ ઉપસ્થિત છે
Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)
ભક્ત: આપણે કહિએ છે કૃષ્ણ આધ્યાત્મિક, સજીવ પ્રાણિઓ ના હૃદય મા હાજર છે. પ્રભુપાદ: કૃષ્ણ સર્વત્ર હાજર છે. ભક્ત: એક વ્યક્તિ તરીકે અથવા એક ઊર્જા તરીકે? પ્રભુપાદ: તેમની ઊર્જા મા. વ્યક્તિ તરીકે પણ. પરંતુ આપણે હાજર આંખો સાથે ન જોઈ શકિયે, પરંતુ ઊર્જા આપણે અનુભવ કરી શકિયે .આ મુદ્દો વધુ અને વધુ સ્પષ્ટ કરો. તેથી સંપૂર્ણપણે સમજાયું ત્યારે, તો પછી આ શ્લોક, બ્રહ્મા જ બધું છે, સર્વં ખલુ ઇદં બ્રહ્મ… એક ઉચ્ચ ભક્ત, તે કૃષ્ણ સિવાય કશું જોતો નથી. ભક્ત: શ્રીલ પ્રભુપાદ, આ ભૌતિક ઊર્જા અને આધ્યાત્મિક ઊર્જા વચ્ચે કોઈ વાસ્તવિક તફાવત છે? પ્રભુપાદ: હા, તફાવત, ઘણા તફાવતો છે. આ જ ઉદાહરણ તરીકે, વીજળી. તેથી ઘણી વસ્તુઓ કામ કરે છે, ઊર્જા નો તફાવત છે. ડિકટાફોન પણ કામ કરે છે, વીજળી. એ જ ઊર્જા, વીજળી દ્વારા. તેથી કૃષ્ણ કહે છે અહં સર્વસ્ય પ્રભવઃ (બી.જી. ૧૦.૮) . તે બધાના મૂળ છે. ભક્ત: ભગવદ્ ગીતા સમજાવે છે કે માનવ જીવનકાળ દરમિયાન શરીર બદલે છે, પરંતુ આપણે એક કાળો માણસ ક્યારેય સફેદ બની જાય તેવુ જોયુ નથી, અથવા તે સતત છે, છતાં શરીરની અંદર સતત કંઈક બદલે છે. તે શું છે? આ કેવી રીતે શક્ય છે, શરીર બદલાય છે, પરંતુ હજુ પણ આપણે કોઈને તેના બાળપણથી વૃદ્ધ વય સુધી ઓળખી શકીએ છીએ. પ્રભુપાદ: તેથી તમે વધુ ઉચ્ચ બનશો ત્યારે તમને કાળા અને સફેદ વચ્ચે કોઈ તફાવત નહિ મળે. જેમ કે એક પુષ્પ જન્મ લે છે, તેમા ઘણા રંગો હોય છે. તેથી તે એક જ સ્ત્રોત માંથી આવે છે. જેમ કે ત્યાં આવો કોઈ તફાવત નથી, પરંતુ તેને સુંદર બનાવવા માટે ઘણા રંગો હોય છે . સૂર્યપ્રકાશ મા સાત રંગો છે, અને તે સાત રંગો માથી, વિવિધ રંગો બહાર આવી રહ્યા છે, મૂળ એક રંગ સફેદ, અને તે પછી ઘણા રંગો આવી રહ્યા છે. આ સ્પષ્ટ થયુ કે નહિ? ભક્ત: શ્રીલ પ્રભુપાદ, કૃષ્ણ એ બધું બનાવ્યુ છે અને બધું કૃષ્ણ ની ઇચ્છા ને રજૂ કરવામાં આવે છે તો, અમે ખરેખર કહી શકીએ કે સારુ કે ખરાબ શું છે? પ્રભુપાદ: સારુ કે ખરાબ કઈ નથી હોતુ, તે માનસિક કલ્પના છે. પરંતુ સમગ્ર રીતે જોઈએ તો, આ ભૌતિક વિશ્વમાં બધું જ ખરાબ છે.