GU/Prabhupada 0286 - શુદ્ધ પ્રેમનું પ્રતિબિંબ જે તમારી અને કૃષ્ણ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે

Revision as of 10:33, 30 April 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0286 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, September 30, 1968

તો કોઈ મુશ્કેલી નથી. વાસ્તવમાં આપણે શીખવું જોઈએ કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવો તે. તો માર્ગદર્શન આપેલું છે અને પદ્ધતિ પણ છે. અને અમે તમારી સેવા જેટલી થઇ શકે તેટલું પ્રયાસ કરે છીએ. અમે અમારા છોકરાઓને શેરી શેરીએ મોકલીએ છીએ તમને બોલાવા માટે. અને જો તમે કૃપા કરીને આ અવકાશને લેશો, ત્યારે તમારું જીવન સફળ બનશે. પ્રેમા પુમ-અર્થો મહાન. કારણ કે આ મનુષ્ય જીવન ભગવત-પ્રેમને વિકસિત કરવા માટે છે. કારણ કે બીજા બધા જીવનોમાં, આપણે પ્રેમ કર્યો છે,આપણે પ્રેમ કર્યો છે. આપણે આપણા છોકરાઓને પ્રેમ કર્યો છે, આપણે આપણા પત્નીને પ્રેમ કર્યો છે, પક્ષીના જીવનમાં આપણે આપણા ઘોસલાને પ્રેમ કર્યો છે, પશુના જીવનમાં. પ્રેમ છે. કોઈ પશુને કે પક્ષીને શીખડાવાની કોઈ જરૂરત નથી કેવી રીતે બાળકોને પ્રેમ કરવો. કોઈ જરૂરત નથી, કારણ કે તે સ્વાભાવિક છે. તમારા ઘરને પ્રેમ કરવો, તમારા દેશને પ્રેમ કરવો, તમારા પતિને પ્રેમ કરવો, તમારા બાળકોને પ્રેમ કરવો, તમારા પત્નીને પ્રેમ કરવો, અને એમ, એમ, આ બધો પ્રેમ, ઓછેવત્તે અંશે તે પશુઓના રાજ્યમાં પણ છે. પણ તે પ્રકારનો પ્રેમ તમને સુખ નહી આપે. તમે નિરાશ થઇ જાશો કારણ કે આ દેહ જ અશાશ્વત છે. તેથી આ બધા પ્રેમ-વ્યવહારો પણ અસ્થાયી છે અને શુદ્ધ નથી. તે માત્ર એક વિકૃત પ્રતિબિંબ છે તે શુદ્ધ પ્રેમનો જે તમારા અને કૃષ્ણના વચ્ચે છે. તો જો તમને ખરેખર શાંતિ જોઈએ છે, જો તમને ખરેખર સંતુષ્ટિ જોઈએ છે, જો તમારે ભ્રમિત નથી થાવું, તો કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયાસ કરો. આ સ્પષ્ટ કાર્યક્રમ છે. ત્યારે તમારું જીવન સફળ થાશે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને પથભ્રમિત કરીને છેતરવા માટેની રચના નથી. તે સૌથી અધિકૃત આંદોલન છે. વૈદિક સાહિત્ય, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, વેદાંત સૂત્ર, પુરાણ અને કેટલા બધા સાધુ પુરુષોએ આ પદ્ધતિને અપનાવી છે. અને સૌથી યાદગાર ઉદાહરણ છે ભગવાન શ્રી ચૈતન્ય. તમે એમનો ચિત્ર જુઓ, તે નૃત્ય કરવાના ભાવમાં છે. તો તમારે આ કલા શીખવી જોઈએ, અને ત્યારે તમારું જીવન સફળ બનશે. તમારે કોઈ કૃત્રિમ વસ્તુનુ અનુગમન નહી કરવું પડે અને તર્ક વિતર્ક કરીને તમારા બુદ્ધિને કષ્ટ નહી આપવો પડે... તમારા પાસે તે ગુણ છે બીજાને પ્રેમ કરવા માટે. તે સ્વાભાવિક છે, પ્રકૃતિક છે. માત્ર આપણે તે પ્રેમને ખોટી જગ્યાએ સમર્પિત કરીએ છીએ અને તેથી આપણે નિરાશ બનીએ છીએ. નિરાશ. ભ્રમિત. તો જો તમને ભ્રમિત નથી થાવું, જો તમને નિરાશ નથી થાવું, તો કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયાસ કરો, અને તમને પોતાને લાગશે, તમે કેવી રીતે શાંતિમાં, સુખમાં આગળ વધો છો. તમને જે પણ જોઈએ છે, તે બધામાં.

ખૂબ ખૂબ ધન્યવાદ.