GU/Prabhupada 0288 - જ્યારે તમે ભગવાન વિશે બોલો છો, શું તમે જાણો છો કે ઈશ્વરની વ્યાખ્યા શું છે?
Lecture -- Seattle, September 30, 1968
અતિથિ: હોઈ શકે છે કે કે તમે પેહલા જ આનો જવાબ આપી દીધો હોય. મને ખબર નથી. મેં સાંભળ્યું નથી. પણ મને હંમેશા જ શીખડાવામાં આવેલું હતું, જ્યારથી હું બાળક હતો, કે ભગવાનને પ્રેમ કરવો અને પછી હું બધાને પ્રેમ કરીશ. શું ભગવાન કૃષ્ણ છે?
પ્રભુપાદ: હા. શું તમારા પાસે બીજો કોઈ ભગવાન છે? કૃષ્ણ સિવાય બીજો કોઈ ભગવાન?
અતિથિ: હ, શું પ્રશ્ન છે? ઓહ, નહિ, નહિ...
પ્રભુપાદ: જરા સમજવાનો પ્રયાસ કરો કે ભગવાન શું છે.
અતિથિ: મને ખબર નથી કે ભગવાન કૃષ્ણ છે.
પ્રભુપાદ: નહિ, બધાની એક પરિભાષા હોય છે. જેમ કે જો હું કહું કે, "આ એક ઘડીયાળ છે." તો તેને એક અર્થ છે. ઘડીયાળ એટલે કે તે ગોળ છે અને તેમાં સફેદ પાટી ઉપર બે હાથ છે અને કેટલા બધા આંકડા છે સમયને દર્શાવતા. તેવી રીતે, હું તમને થોડું વર્ણન આપી શકું છું. તો કઈ પણ, જે પણ તમે જુઓ છો કે અનુભવ કરો છો કે સમજવાનો પ્રયાસ કરો છો, તેનો કોઈ અર્થ હોવો જોઈએ. તો જયારે તમે ભગવાન વિશે કહો છો, ત્યારે તમને ખબર છે ભગવાનનો અર્થ શું છે?
અતિથિ: હા, મારા વિચારમાં તે પ્રેમ છે.
પ્રભુપાદ: પ્રેમ તે અર્થ નથી, પ્રેમ કાર્ય છે. હા, પ્રેમ. હું ભગવાનને પ્રેમ કરું છું. પ્રેમ એક કાર્ય છે. પણ ભગવાનનો કોઈ અર્થ હોવો જોઈએ. તે પણ તમને ખબર છે. પણ હવે તમે તેને ભૂલી જાઓ છો. હવે, એક શબ્દમાં, તેઓ કહે છે, "ભગવાન મહાન છે." તો કેવી રીતે વ્યક્તિ તેની મહાનતાને માપી શકે છે? આગલી વાત. જો તમે કહો છો કે, "આ માણસ ખૂબજ મહાન છે." હવે કોઈ સમજ હોવી જોઈએ, તમે કેવી રીતે ધારો છો કે તે મહાન છે. વિવિધ સ્તર છે સમજવામાં. તો કેવી રીતે તમે સમજી શકો છો કે ભગવાન મહાન છે? તમારી ગણતરી શું છે, કોને આધારે, કે ભગવાન મહાન છે? જેમ કે તમારા બાઇબલમાં કહેલું છે કે, "ભગવાને કીધું હતું ,"સૃષ્ટિ થવા દો."અને સૃષ્ટિ થઇ ગઈ." શું તેમ નથી? શું તે વાક્ય ન હતું? તો અહીં છે મહાનતા. તે માત્ર કીધું હતું કે, "સૃષ્ટિ થવા દો.",અને સૃષ્ટિ થઇ ગઈ. શું તમે તેમ કરી શકો છો? ધારો કે તમે ખૂબજ સારા મિસ્ત્રી છો. શું તમે કહી શકો છો, "એક ખુરશી થવા દો.", અને તે જ સમયે એક ખુરશી આવી જશે? શું તે સંભવ છે? ધારો કે તમે આ ઘડીના રચનાકરતા છો. શું તમે કહી શકો છો કે, "હું કહું છું, ઘડી થવા દો" અને તરત જ ઘડી આવી જાય છે? તે સંભવ નથી. તેથી ભગવાનનો નામ છે સત્ય-સંકલ્પ. સત્ય-સંકલ્પ. સત્ય-સંકલ્પ એટલે કે જે પણ તે વિચારે છે, તરત તે હાજર થઇ જાય છે. ભગવાન જ નહિ, પણ જે લોકો યોગ સિદ્ધિને પ્રાપ્ત કર્યા છે, તે ભગવાનની જેમ ઈચ્છા નથી કરી શકતા, પણ લગભગ ત્યાં સુધી. અદભુત વસ્તુઓ...એક યોગી, જો તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જો તે કઈ ઈચ્છે છે કે, "મને આ જોઈએ છે." તરત જ તે હાજર થઇ જાય છે. તેને કહેવાય છે સત્ય-સંકલ્પ. આ રીતે કેટલા બધા ઉદાહરણો છે. તેને કહેવાય છે મહાનતા. શું...જેમ કે આધુનિક વૈજ્ઞાનિકો, તે કોઈ આકાશ-યંત્રમાં ઉડવાનો પ્રયાસ કરે છે, સારી ગતિએ, જેનાથી તે ચંદ્ર ગ્રહને પોહચી શકે છે. અમેરિકા, રશિયા અને કેટલા બધા દેશોના વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે. પણ તે નથી પોહચી શકતા. તેમનું સ્પુટનિક પાછું આવે છે. પણ જુઓ ભગવાનની શક્તિ. કેટલા બધા લાખો ગ્રહો માત્ર રુઇની મુઠ્ઠીના જેમ તરે છે. આ મહાનતા છે. તો જો કોઈ પણ મૂર્ખ વ્યક્તિ જો તે કહે છે, "હું ભગવાન છું." તે એક મૂઢ છે. ભગવાન મહાન છે. તમે પોતાને ભગવાન સાથે તુલના નથી કરી શકતા. કોઈ પણ તુલના નથી.પણ આ લૂછાપન ચાલી રહ્યું છે. "બધા ભગવાન છે. હું ભગવાન છું, તમે ભગવાન છો." ત્યારે તે કૂતરો છે. તમે ભગવાનની શક્તિ દર્શાવો, ત્યારે તમે કહો. પેહલા યોગ્યતા પ્રાપ્ત કરો, પછી ઈચ્છા કરો. તમારા પાસે શું શક્તિ છે? તમે હંમેશા આધારિત છો. તો ભગવાન મહાન છે, અને આપણે હંમેશા ભગવાનના ઉપર આધારિત છે. તેથી સ્વાભાવિક અર્થ તે છે, કે આપણને ભગવાનની સેવા કરવી છે. તે પૂર્ણ છે. સેવા એટલે પ્રેમથી સેવા કરવી. જ્યા સુધી... હવે જેમ કે આ છોકરાઓ, મારા શિષ્યો, તે મારી સેવા કરે છે. હું જે પણ કહું છું, તે તરત જ કરે છે. કેમ? હું તો ભારતીય છું, હું એક વિદેશી છું. બે કે ત્રણ વર્ષ પેહલા તે મને જાણતા ન હતા, અને હું પણ તેમને જાણતો ન હતો. કેમ તે કરે છે? કારણ કે તે પ્રેમ છે. સેવા કરવું એટલે કે પ્રેમ વિકસિત કરવો. તો જ્યારે સુધી તમે પ્રેમ વિકસિત ન કરો, ત્યાર સુધી તમે તેમની સેવા નથી કરી શકતા. ક્યાંય પણ. જ્યારે પણ તમે કોઈ સેવા કરો છો, તે પ્રેમના ઉપર આધારિત છે. જેમ કે એક માતા એક બાળકને નિસ્વાર્થ સેવા આપે છે. કેમ? પ્રેમના કારણે. તો તેમજ, આપણું જીવન પૂર્ણ બનશે જ્યારે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે પ્રેમ કરશે. ત્યારે તે ઠીક છે. તમારે આ શીખવું જોઈએ. આ કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ સાથેના સંબંધમાં. જેમ કે હું મારા શિષ્યોને પ્રેમ કરું છું, મારા શિષ્યો મને પ્રેમ કરે છે? કેમ? માધ્યમ કોણ છે? કૃષ્ણ...