GU/Prabhupada 0289 - જે કોઈ ભગવાનના સામ્રાજ્યમાથી આવે છે, તે એક સમાન છે
Lecture -- Seattle, September 30, 1968
પ્રભુપાદ: હા?
સ્ત્રી: શું રામનો અર્થ અને જીસસનો અર્થ એક જ છે?
ભક્ત: "શું રામનો અર્થ જીસસનો પર્યાય છે."
પ્રભુપાદ: પર્યાય છે...પૂરી રીતે પર્યાય નથી, પણ એક જેવા છે. પર્યાય નહિ કહી શકાય, પણ એક જેવા છે.
સ્ત્રી: ઓહ,એક જેવા છે.
પ્રભુપાદ: હા. પૂર્ણ સ્તર ઉપર બધા એક જેવા છે. આ સબંધિક જગતમાં પણ. જેમ કે તમે કઈ પણ લો, તે ભૌતિક છે. તો ભૌતિક ઓળખાણ. તેમજ, આધ્યાત્મિક જગતમાં બધું જ આધ્યાત્મિક છે. તો આધ્યાત્મિક જગતમાં, ભગવાન અને ભગવાનના પુત્ર કે ભગવાનનો મિત્ર કે ભગવાનનો પ્રેમી, કોઈ પણ, તે.. તે બધા એક જ સ્તર ઉપર છે, આધ્યાત્મિક. તેથી તે એક જેવા છે.
સ્ત્રી: પણ શું રામ તે વ્યક્તિને નથી દર્શાવતો જે ભારતમાં કે ...મને ખબર નથી...અને ખ્રિસ્ત યુરોપમાં જન્મ લીધો? બે જુદા વ્યક્તિ પણ છતાં એક જ, એક જ...
પ્રભુપાદ: હા. સૂરજ રોજ ભારતમાં પણ જન્મ લે છે, યુરોપમાં પણ જન્મ લે છે, અમેરિકામાં પણ જન્મ લે છે. શું તેનો અર્થ છે કે તે ભારતીય છે કે અમેરિકી છે કે ચાઇનીઝ છે?
સ્ત્રી: નહિ, મારા કહેવાનો અર્થ તે નથી.
પ્રભુપાદ: તો? તેથી તેમ કહેવાયું છે. જ્યારે... તે આપણું સીમિત જ્ઞાન છે. આપણને તે રીતે શીખડાવામાં આવેલું છે, કે ભગવાન મહાન છે. જેમ કે સૂરજ મહાન છે; તેથી સૂરજ ભારતમાં કે અમેરિકામાં કે ચીનમાં, બધી જગ્યાએ દેખાય છે, દુનિયા ના કોઈ પણ ભાગમાં, જગતના કોઈ પણ ભાગમાં, સૂરજ એક જ છે. કોઈ પણ તેમ નથી કહી શકતો કે, "ઓહ,તે અમેરિકી સૂર્ય છે." કે," તે ભારતીય સૂર્ય છે." તો જીસસ ખ્રિસ્ત કે રામ કે કૃષ્ણ, જે પણ ભગવાનના ધામથી આવે છે, તે એક જ છે. કોઈ અંતર નથી. પણ અંતર છે કે, તમારા દેશમાં સૂર્યનો તાપમાન ઓછો છે, અને થોડા દેશોમાં સૂર્યનો તાપમાન ખૂબ વધારે છે. શું તેનો અર્થ છે કે સૂર્યનો તાપમાન બદલી ગયો છે? તે સ્વીકૃતિની શક્તિના હિસાબે છે. આ દેશનો વાતાવરણ એટલો ભારી છે કે તમને સૂર્ય-કિરણો પણ ઠીક રીતે પ્રાપ્ત નથી થાતાં, પણ સૂર્ય કિરણો તેમના કિરણો બધી જગ્યાએ વિતરિત કરે છે. તેમજ, દેશ, કાળ, પાત્ર/ગ્રહ ના અનુસરે, ભગવાન વિવિધ રીતે પ્રકટ થાય છે પણ તે જુદા નથી. તમે તમારા દેહને શિયાળાના કપડાં સાથે ઢાકો છો, તે જ સમયે, ભારતમાં ટેલિગ્રાફ કરો, ઓહ તે તો ફેન ચલાવે છે, કેમ તાપમાન જુદો છે? તેથી જે પણ ભગવાન જીસસ ખ્રિસ્ત કહે છે કે જે પણ કૃષ્ણ કહે છે, અથવા જે પણ રામ કહે છે, તે દેશ, કાળ, પાત્ર, વાતાવરણના હિસાબે છે. અંતર છે. જે વાત હું છોકરાને સમજાવા માટે કહું છું, તે જ વાત હું પિતાને નથી કહી શકતો. અથવા એક બાળક મૈથુન જીવન વિષે સમજી નથી શકતો,પણ એક યુવાન માણસ સમજી શકે છે. તે જ બાળક જ્યારે તે મોટો થાય છે, તે જાણશે. તો તમે ન વિચારતા કે બધા લોકો બધું સમજી શકશે. તો બાઇબલ થોડા અમુક પરિસ્થિતિમાં કહેવાય ગયું હતું, ભગવદ્ ગીતા અમુક પરિસ્થિતિમાં કહેવાય ગયેલું હતું. તે પરિસ્થિતિઓનો અંતર છે. નહીંતર, સિદ્ધાંત એક જ છે. બાઇબલમાં પણ કહેવાય છે, "ભગવાનને પ્રેમ કરો" અને ભગવદ્ ગીતા પણ કહે છે, "ભગવાનને પ્રેમ કરો." કોઈ અંતર નથી.