GU/Prabhupada 0776 - 'જો હું એક કૂતરો બનો તો તેમાં ખોટું શું છે?' આ શિક્ષણનું પરિણામ છે

Revision as of 09:07, 11 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0776 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.12 -- Los Angeles, June 25, 1975

તો તેની ભલામણ છે કે અધયો વ્યાધય: ત્રણ પ્રકારની દુખમય અવસ્થાઓ હોય છે - દરેક વ્યક્તિ, કોઈ એક ચોક્કસ વ્યક્તિ નહીં. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવીક. અને જેવુ તમને આ ભૌતિક શરીર મળે છે, તમારે સહન કરવું પડશે. તો જો તમારે આ પીડા બંધ કરવી હોય, તો તમારે નિયમિત જીવન જીવવું પડે. નિયમિત જીવનની ભલામણ આગલા શ્લોકમાં થયેલી છે:

તપસા બ્રહમચર્યેણ
સમેન ચ દમેન ચ
ત્યાગેન સત્ય શૌચાભ્યમ
યમેન નિયમેન વા
(શ્રી.ભા. ૬.૧.૧૩)

આ મનુષ્યોના નિર્દિષ્ટ કર્તવ્યો છે. નિર્દિષ્ટ કર્તવ્યો શું છે? પહેલું નિર્દિષ્ટ કર્તવ્ય છે તપસા: તેમણે તપસ્યા કરવી જોઈએ. આ મનુષ્ય જીવન છે. તેની ભલામણ દરેક જગ્યાએ થયેલી છે. ઋષભદેવ પણ ભલામણ કરે છે, તપો દિવ્યમ પુત્રક યેન શુદ્ધયેદ સત્ત્વ (શ્રી.ભા. ૫.૫.૧): "મારા પ્રિય પુત્રો, બિલાડીઓ અને કુતરાઓ અને ભૂંડોની જેમ ના જીવો," તેઓ સલાહ આપે છે. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિદભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). "જો હું સખત પરિશ્રમ નહીં કરું, હું મારી ઇન્દ્રિયોને કેવી રીતે તૃપ્ત કરીશ? રાત્રે મારે આ નશો જોઈએ જ, આ સ્ત્રી, આ ક્લબ, આ... જો હું સખત કામ નહીં કરું, મને આ આનંદ કેવી રીતે મળશે?"

તો ઋષભદેવ કહે છે, "આ પ્રકારનો આનંદ ભૂંડને પણ મળે છે. તે બહુ સારા પ્રકારનો આનંદ નથી, ઇન્દ્રિય તૃપ્તિ." નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિદભુજામ યે. વિદભુજામ મતલબ મળ ખાવાવાળો. તો તેઓ મળ ખાઈને આનંદ માણી રહ્યા છે, અને કોઈ પણ ભેદ વગર મૈથુન માણીને, માતા, બહેનની પરવાહ ના કરતાં. તો આ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિનો સમાજ કુતરાઓ અને ભૂંડોમાં છે, પણ મનુષ્ય જીવન તેના માટે નથી. મનુષ્ય જીવન તપસ્યા માટે છે, જેથી મનુષ્ય જીવનમાં તમે તમારા જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન રોકી શકો અને તમારા શાશ્વત જીવન પર આવી શકો, અને જ્ઞાનનું શાશ્વત આનંદમય જીવન જીવી શકો. તે જીવનનું લક્ષ્ય છે. એવું નહીં કે "કોઈ વાંધો નહીં." શિક્ષા છે કે એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી, અને જો તેને કહેવામા આવે, જો તેને માહિતી આપવામાં આવે, કે "જો તું બિનજવાબદારીપૂર્વક જીવીશ, તો તું આવતા જન્મમાં કૂતરો બનીશ," તો તેઓ કહે છે, "તેમાં ખોટું શું છે જો હું એક કૂતરો બનું તો?" (હાસ્ય) આ શિક્ષણનું પરિણામ છે. તે પરવાહ નથી કરતો. તે વિચારે છે, "જો મને કુતરાનું જીવન મળશે, મને રસ્તા પર મૈથુન જીવન કરવામાં કોઈ પ્રતિબંધ નહીં હોય." બસ તે જ. તે વિચારે છે કે તે પ્રગતિ છે. "જો અત્યારે પ્રતિબંધ છે, હવે જો મને કોઈ પ્રતિબંધ વગર રસ્તા પર મૈથુન માણવા મળશે..." અને તેઓ ધીમે ધીમે, તે પ્રગતિ કરી રહ્યા છે.

તો આ સ્થિતિ છે. તો તે લોકો આગલા જીવનમાં વિશ્વાસ નથી કરતાં, અને બિલાડીઓ અને કુતરાઓના જીવનની તો વાત જ શું કરવી. "કોઈ વાંધો નહીં." બધી જ વસ્તુ અંધકારમય છે. તેથી, જ્યાં સુધી આપણે કૃષ્ણ ભાવનામૃત આંદોલન ગ્રહણ કરતાં નથી, માનવ સમાજ નિષ્ફળ છે. તે માનવ સમાજ નથી. માનવ સમાજ છે જવાબદારીભર્યું જીવન. વાસ્તવમાં, આપણે શિક્ષિત થઈ રહ્યા છીએ, આપણે શાળાએ જઈએ છીએ, કોલેજે જઈએ છીએ, એક જવાબદાર માણસ બનવા માટે. તો આ જવાબદારી હોવી જોઈએ, "કેવી રીતે આ જન્મના પુનરાવર્તનને અટકાવવું." ઘણી જગ્યાએ આની સલાહ આપેલી છે. અને તે એક માત્ર ઉદેશ્ય છે મનુષ્ય જીવનનો. પુનર જન્મ જયાય.