GU/Prabhupada 0826 - આપણું આંદોલન તે સખત પરિશ્રમને કૃષ્ણ કાર્યમાં પરિવર્તિત કરે છે

Revision as of 20:04, 13 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0826 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


The Nectar of Devotion -- Vrndavana, November 4, 1972

શાસ્ત્રમાં તે કહ્યું છે, "સામાન્ય રીતે આ ભૌતિક જગતમાં લોકો, તે લોકો રજોગુણમાં છે." તેથી સખત પરિશ્રમના કાર્યોમાં, તેઓ આનંદ લે છે. જો કોઈ સાધુ વ્યક્તિઓ કાર્ય નથી કરતાં... તે ભક્તિમય સેવા અથવા ધ્યાન અથવા જપમાં પ્રવૃત્ત છે. ક્યારેક તેવી ગેરસમજ કરવામાં આવે છે કે આ લોકો ભાગી રહ્યા છે - કારણકે તેઓ સખત પરિશ્રમને બહુ સારું ગણે છે. જ્યાં સુધી તમે સખત પરિશ્રમ ના કરો, તેઓ તેને એક ભાગવાની ક્રિયા તરીકે લે છે: "તે લોકો સામાજિક અને બીજી જવાબદારીઓથી ભાગી રહ્યા છે ભિક્ષુક જીવનનો સ્વીકાર કરીને અને બીજાના ખર્ચા પર જીવીને." ઘણી બધી વસ્તુઓ. તો તેમને તે ગમે છે, બહુ જ સખત કામ કરવું.

પણ આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે સખત પરિશ્રમને કૃષ્ણ માટેના કાર્યમાં પરિવર્તિત કરે છે. તે સખત પરિશ્રમની વૃત્તિનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે માયાવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ વિચારે છે કે કામ અને ક્રોધ, આ આપણા શત્રુઓ છે. કામ ક્રોધ લોભ મોહ માત્સર્ય. પણ નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે કામ પણ કૃષ્ણની સેવામાં ઉપયોગમાં લેવાઈ શકે. કામમ કૃષ્ણ કર્માર્પને. જો વ્યક્તિ કૃષ્ણ માટે કામ કરવામાં ખૂબ જ આસક્ત હોય, તે કર્મીઓની વૃત્તિ કે ઇન્દ્રિય તૃપ્તિ માટે સખત પરિશ્રમ કરવો, તેનો ઉપયોગ થઈ શકે છે. તેવી જ રીતે, 'ક્રોધ' ભક્ત દ્વેષી જને. ક્રોધ, તે સારું નથી, પણ ક્રોધ પણ કૃષ્ણની સેવામાં વપરાઇ શકે. જેમ કે હનુમાન, તે ભગવાન રામચંદ્રને ખાતર રાવણ પર ખૂબ જ ક્રોધિત થયા, અને તેમણે રાવણની સુવર્ણ નગરી, લંકા, માં આગ લગાડી દીધી. તો તે ક્રોધનો ભગવાન રામચંદ્રની સેવામાં ઉપયોગ થયો. તેમણે ક્યારેય ક્રોધનો તેમની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ઉપયોગ કર્યો ન હતો. આ રીતે, દરેક વસ્તુ ભગવાનની સેવામાં બંધબેસાડી શકાય, અને જેમ હું પહેલા સમજાવતો હતો, છ વસ્તુઓ હોય છે, કેવી રીતે ભક્તિમય સેવા, શુદ્ધ ભક્તિમય સેવા, તે એક માત્ર માર્ગ છે કૃષ્ણને આકર્ષિત કરવાનો. કૃષ્ણને આકર્ષિત કરવા માટે તમે તમારી કર્મીઓની અથવા જ્ઞાનીઓની અથવા યોગીઓની ભાવનાનો ઉપયોગ ના કરી શકો. તમે કૃષ્ણને ફક્ત ભક્તિમય સેવા દ્વારા જ આકર્ષિત કરી શકો. ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે "ફક્ત ભક્તિમય સેવા દ્વારા જ, વ્યક્તિ મને સમજી શકે." ભક્ત્યા મામ અભિજાનાતી. તો કર્મીઓના કાર્યો, જ્યારે કૃષ્ણની સેવામાં બંધબેસાડવામાં આવે છે, બહુ સખત પરિશ્રમ કરીને પણ, આપણી વૃત્તિ,...

વાસ્તવમાં ભક્તિમય સેવા મુખ્ય સિદ્ધાંતો પર નિર્ભર છે, શ્રવણમ કિર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ (શ્રી.ભા. ૭.૫.૨૩). પણ દાસ્યમની શ્રેણીમાં,... જેમ કે હનુમાન, હનુમાનજી: તેઓ દાસ્યમના સ્તર પર સંલગ્ન હતા. અર્જુન સાખ્યમના સ્તર પર સંલગ્ન હતો. તો તેઓ પણ સખત મહેનત કરતાં હતા. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ, તે બહુ જ સરળતાથી અને શાંતિથી બેસવાનું સ્થળ હતું નહીં. જ્યારે તે લડતો હતો, તે એક સૈનિકની જેમ લડતો હતો. તેણે સૈનિકના બધા જ કર્તવ્યો લીધા હતા. પણ તે કૃષ્ણ માટે લડાઈ હતી. તે આકર્ષણ છે. તે શુદ્ધ ભક્તિમય સેવા છે. કૃષ્ણે પણ તેને પ્રમાણપત્ર આપ્યું: ભક્તો અસિ પ્રિયો અસિ (ભ.ગી. ૪.૩). "મારા પ્રિય અર્જુન, તું મારો પ્રિય મિત્ર અને ભક્ત છું." તો કોઈ પણ કાર્ય દ્વારા, જો તે કૃષ્ણની સંતુષ્ટિ માટે બંધ બેસાડવામાં આવે, તે ભક્તિમય સેવા છે, અને વ્યક્તિ કૃષ્ણને આકર્ષિત કરી શકે. કૃષ્ણનું ધ્યાન ફક્ત અને નિસ્વાર્થ શુદ્ધ ભક્તિમય દ્વારા જ આકર્ષિત થઈ શકે છે. જો તે છે... અને તે ઈચ્છા, તે આજ્ઞા, મેળવવામાં આવે છે ગુરુની ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, કે કેવી રીતે કૃષ્ણ પ્રસન્ન થઈ શકે.