GU/Prabhupada 0976 - વસ્તીવધારાનો કોઈ પ્રશ્ન જ નથી. તે ખોટો સિદ્ધાંત છે: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0976 - in all Languages Categ...") |
(No difference)
|
Revision as of 19:38, 30 May 2017
Lecture on BG 4.13 -- New York, April 8, 1973
વસ્તીવધારાનો કોઈ પ્રશ્ન જ નથી. તે ખોટો સિદ્ધાંત છે જો ભગવાન રચના કરી શકે, તે પાલન પણ કરી શકે. અને ખરેખર, તે હકીકત છે. હું આખી દુનિયામાં ભ્રમણ કરું છું. કેટલી બધી ખાલી જગ્યાઓ છે પૃથ્વીની સપાટી પર કે, વર્તમાન વસ્તીથી દસ ગણી વસ્તીનું પાલન પણ સરળતાથી થઈ જાય. પણ આપણે, આપણે, આપણે જાણતા નથી કે કેવી રીતે તેનો ઉપયોગ કરવો. આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં, હજુ પણ પર્યાપ્ત ભૂમિ પડી રહી છે. પણ કારણકે આપણે કૃષ્ણની ભૂમિ પર કબજો કરી લીધો છે, મુશ્કેલીઓ છે. ચીનમાં વસ્તીવધારો છે. ભારતમાં વસ્તીવધારો છે. પણ આપણે, જો આપણે કૃષ્ણ ભાવનામૃત લઈશું, આ સમસ્યાઓ એક સેકંડમાં સમાપ્ત થઈ જશે.
કૃષ્ણ ભાવનામૃતનો મતલબ છે બધી વસ્તુને કૃષ્ણની માનવી. હું પણ કૃષ્ણનો છું. તે કૃષ્ણ ભાવનામૃત છે. ખરેખર, તે હકીકત છે. બધુજ... કૃષ્ણ મતલબ ભગવાન. બધુજ ભગવાનનું છે. હું પણ ભગવાનનો છું. ઈશાવાસ્યમ ઈદમ સર્વમ (ઇશો મંત્ર ૧). બધુ ભગવાનનું છે. તે હકીકત છે. પણ આપણે તે હકીકત સ્વીકારતા નથી. આપણે કઈક ભ્રામક લઈએ છીએ. તેથી તેને માયા કહેવાય છે.
જેમ કે અમેરિકનો. તે આ ભૂમિને અમેરિકન સમૂહ હોવાનો દાવો કરે છે. તેવી જ રીતે, બીજા દેશો, તેઓ કરે છે.... પણ ભૂમિ વાસ્તવિક રીતે ભગવાનની છે. ભૂમિ, આકાશ, પાણી, અને ભૂમિની પેદાશો, આકાશમાં, પાણીમાં, બધુ જ ભગવાનનું છે. અને આપણે ભગવાનના બાળકો છીએ. આપણને પિતાના ખર્ચે રહેવાનો હક છે. જેમ કે આપણે રહીએ છીએ, નાના બાળકો. તેઓ પિતાના ખર્ચે રહે છે. તેવી જ રીતે, આપણે પણ ભગવાનની વ્યવસ્થા પર રહીએ છીએ. આપણે શું કરવા આ સંપત્તિને આપણી હોવાનો દાવો કરવો જોઈએ?
આ ખ્યાલ છે આધ્યાત્મિક સામ્યવાદનો. ભાગવતમાં આ વસ્તુઓ કહી છે, કેવી રીતે આધ્યાત્મિક સામ્યવાદને અનુભવવો. આધ્યાત્મિક સામ્યવાદમાં.... વર્તમાન સામ્યવાદીઓ, તેઓ મનુષ્યો વિષે જ વિચારી રહ્યા છે. અને પશુઓને કતલખાને મોકલવામાં આવી રહ્યા છે. જોકે મનુષ્યે અને પશુએ એક જ ભૂમિ પર જન્મ લીધો છે... ખરેખર, તેઓ પણ નાગરિકો છે. નાગરિક મતલબ તે કે જેણે તે ભૂમિ પર જન્મ લીધો હોય. તો આ પશુઓ નાગરિકો કેમ નથી? પણ કારણકે તેમને કોઈ કૃષ્ણ ભાવના નથી, તેઓ આટલુ ઉમદા વિચારી ના શકે. તેઓ વિચારે છે કે રાષ્ટ્રીયતા મતલબ તે મનુષ્ય સુધી જ સીમિત છે, પશુઓ, વૃક્ષો, સુધી નહીં.
પણ જ્યારે તમે કૃષ્ણ ભાવનાભાવિત થાઓ છો તમે સમજો છો કે વૃક્ષો, છોડો, પેટે ચાલવાવાળા પ્રાણીઓ, જળચરો, મનુષ્યો, પશુઓ, દરેક, દરેક, ભગવાનનો અભિન્ન અંશ છે. તેમના કર્મ પ્રમાણે, તેમને અલગ પ્રકારનું શરીર મળ્યું છે, જેવુ કે મે સમજાવ્યું. કારણમ ગુણ સંગો અસ્ય સદ અસદ જન્મ યોનિષુ (ભ.ગી. ૧૩.૨૨). આ વસ્તુઓ ભગવદ ગીતા માં આપેલી છે. કોઈને તેના કર્મ પ્રમાણે અલગ પ્રકારનું શરીર મળે છે. કર્મણા દૈવ નેત્રેણ જંતોર દેહ ઉપપત્તયે (શ્રી.ભા. ૩.૩૧.૧). કર્મ અનુસાર આપણે શરીર રચીએ છીએ.
આ એક મહાન વિજ્ઞાન છે. લોકો નથી જાણતા કે કેવી રીતે વસ્તુઓ થાય છે, કેવી રીતે આટલી બધી જીવનની યોનીઓ છે, કેવી રીતે કોઈ કહેવાતું ખુશ છે, કોઈ કહેવાતું દુખી છે. કોઈ ધની છે, કોઈ ગરીબ છે. કેમ આટલા બધા ગ્રહો છે? કેમ તેમાના કોઈક દેવતાઓ છે અને કોઈક મનુષ્યો છે, કોઈક પ્રાણીઓ છે? તે મહાન વિજ્ઞાન છે, પણ આ જ્ઞાનની કોઈ કેળવણી નથી આધુનિક યુનિવર્સિટીઓ અથવા શિક્ષણ સંસ્થાઓમાં. કદાચ આપણે એક જ માણસોનો વિભાગ છે, આપણે આ કૃષ્ણ ભાવનામૃત વિજ્ઞાનનો પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ તે સ્થિતિ સમજવા માટે પૂર્ણ વિજ્ઞાન છે.