Template

Template:GU/Gujarati Main Page - Collaborate With Us

Revision as of 04:47, 16 August 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ઇસ્કોનના સંસ્થાપક-આચાર્ય છે. ૨૦મી સદીની સર્વોચ્ચ ઉત્કૃષ્ટ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્રાંતિના પથપ્રદર્શક. તેમણે આ ભૌતિક જગતમાં વસતા લોકોના કલ્યાણ માટે કૃષ્ણ ભાવનામૃત સ્થાપિત કરવાના મહાન પ્રયત્નો કર્યા છે. તેમણે આ પ્રયત્નો અને યોગદાન દ્વારા આ હરે કૃષ્ણ આંદોલનનો પાયા નાખીને વિશ્વભરમાં ઘણી ઉંચાઈઓ મેળવી છે. લોકોને સુખી અને આત્મ-સંતુષ્ટ બનાવવામાં પરિવર્તન લાવવાના તેમના મિશનમાં પ્રભુપાદને અજોડ વિશ્વાસ હતો. તેમણે તેમના ઉપદેશો દ્વારા આપેલા વૈદિક સાહિત્યના વિશાળ સ્ત્રોત દ્વારા તેમણે આપણને જ્ઞાન રૂપી પ્રકાશ આપ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં ભક્તિ સેવા કરવા માટે આપણા હૃદયમાં અખૂટ અગ્નિ છે. ધીરે ધીરે લોકો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે અને તેને બિરદાવી રહ્યા છે. આ આંદોલન સાથે જોડાવાથી દરેક અવાજ સંગીત બને છે, દરેક હલનચલન નૃત્ય બની જાય છે અને મન નિત્ય કૃષ્ણ પર કેન્દ્રિત રહે છે જેથી આપણું જીવન એક ઉત્સવ બની રહે. ઇસ્કોન સાથે જોડાવાથી આપણને અનુભવ થાય છે કે દરેક વસ્તુ કંઈક અધિક આકર્ષક થઈને ઝગમગે છે અને આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તે આનંદકારક પળોનો છંટકાવ કરેલી હોય છે. સામૂહિક રીતે, અમે વાણીપેડિયાની સેવા કરી રહ્યા છીએ જે પ્રભુપાદની ઇચ્છાનું ગુણગાન કરે છે. અમે હૃદયપૂર્વક સૌને આગળ આવવા આમંત્રણ આપીએ છીએ જેથી તમારા હૃદયની સંતુષ્ટિ સુધી પ્રભુપાદના મિશનમાં તમારા પ્રયત્નોની ગણના થાય.


બધા જ વ્યક્તિઓ જે વાણીપેડિયા વિશે જિજ્ઞાસુ છે, તેમનું ઉષ્માભર્યું સ્વાગત છે. જેમ નામ સૂચવે છે, વાણી-શબ્દો, પેડિયા - શિક્ષા સાથે સંબંધિત. તો, અહીં આપણે શ્રીલ પ્રભુપાદના શબ્દોની શિક્ષા પ્રાપ્ત કરવા માટે પોતાને ખૂબ જ ચોક્કસ રીતે પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. તે શ્રીલ પ્રભુપાદ, કે જેમણે આપણને વૈદિક જ્ઞાનનો ખજાનો ભેટ આપ્યો છે, જેમાંથી આપણે શાશ્વત આનંદ પ્રાપ્ત કરીએ છીએ. વાણી એટલે શિક્ષા અને સેવા એટલે સેવા. વાણીસેવા એટલે શિક્ષાઓની સેવા કરવી.


વાણીપેડિયા એ શ્રીલ પ્રભુપાદના શબ્દોના ગતિશીલ, પારસ્પરિક (ઈન્ટરેક્ટિવ) જ્ઞાનકોશના મંચ તરીકે સેવા આપે છે. કોઈપણ આધ્યાત્મિક અને ભક્તિ સાધક માટે તે એક સાધન છે, જે ગહન જ્ઞાનના વિશાળ પુસ્તકાલયની ગરજ સારે છે. તેની પ્રભાવશાળી પ્રસ્તુતિની કારણે, વાચક ઝડપથી આના વૈવિધ્યસભર ગુણોનો અનુભવ કરે છે જે નીચે પ્રમાણે છે:

  • પરમ ભગવાન, જે શાશ્વત, આનંદમય અને જ્ઞાનથી પૂર્ણ છે.
  • તેમના પવિત્ર નામો, જે દિવ્ય છે કે જેમાંથી વ્યક્તિ શાશ્વત સુખનો અનુભવ કરી શકે છે.
  • તેમની ભક્તિ સેવા કે જેમાંથી આપણે આપણી દિવ્ય ચેતનાને ઉજાગર કરી શકીએ છીએ.
  • અને તેમના પવિત્ર શાસ્ત્રો જેમ કે, ભગવદ્દ–ગીતા અને શ્રીમદ્ ભાગવતમમાં રહેલ ઉપદેશ.
  • આ સ્પષ્ટપણે નામને મૂલ્ય આપે છે: વાણીપેડિયા - વૈદિક જ્ઞાનનો સાર.


આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે, અમે અમારા વાણીસેવા પ્રોગ્રામ દ્વારા મોટી સંખ્યામાં સ્વયંસેવકોને જોડી રહ્યા છીએ, આમ ઘણા ભક્તોને આ ગતિશીલ સેવામાં સહકાર અને સહયોગ આપવાની તક આપી રહ્યા છીએ. આ પ્રાપ્ત કરવા માટે ભક્તોની એક મુખ્ય ટીમ સ્વયંસેવકોની સેવાઓની મદદ આપી રહી છે અને સંકલન કરી રહી છે. આપણી સફળતાની ચાવી સહયોગ છે. સાથે કામ કરવાથી આપણે ચોક્કસ સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ.


ભારતની મહાન સંપત્તિ - 'આધ્યાત્મિકતા'ના રાજદૂતની ગાઢ રીતે બિરદાવવા; તેઓ કરુણા દ્વારા વિશ્વમાં જે પરિવર્તન લાવ્યા છે તેનું એક સાધન બનવાનું વચન આપવું; અને જેમણે એવું ઘર બનાવ્યું જેમાં આખું વિશ્વ શાંતિથી જીવી શકે, તેમને શ્રદ્ધાંજલી આપવી - આ આપણી ફરજ છે. તેમની વાણી, વ્યાખ્યાનો, તાત્પર્યોનો વિશ્વવ્યાપી પ્રચાર આપણને ખૂબ જ આનંદ આપશે કારણ કે દરેક ફાળો કૃષ્ણના ખાતામાં શાશ્વત રીતે વધશે.


જો તમે ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને આ ઇમેઇલ દ્વારા જણાવો: [email protected]