GU/680316b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મન-મના ભવ મદ-ભક્તો મદ્યાજી મામ નમસ્કુરૂ (ભ.ગી. ૧૮.૬૫). કૃષ્ણ કહે છે કે "હંમેશાં તમારા મનમાં મારા વિશે વિચારતા રહો." મન-મના. મન: એટલે મન. મન-મના ભવ મદ-ભક્તો, "અને મારો ભક્ત બનો. મને તમારો શત્રુ ન માનો." કેટલીકવાર કૃષ્ણને દુશ્મન માનવામાં આવે છે. તે પ્રકારનો વિચાર નકામો છે. નકામો નહીં. અલબત્ત, દુશ્મનો કે જેમણે હંમેશાં કૃષ્ણનો વિચાર કર્યો, તેઓને પણ મુક્તિ મળી. કારણ કે, છેવટે, તેમણે કૃષ્ણ વિષે વિચાર્યું. પરંતુ તે રીતે નહીં."
680316 - ભાષણ અવતરણ - સાન ફ્રાન્સિસ્કો‎