GU/681219e ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ તક છે. તમને મનુષ્ય જીવન મળ્યું છે. હવે તમને અમારો સંગ મળ્યો છે. તમને ભગવદ્ ગીતામાંથી બધી માહિતી મળી છે. તો તક છે. હવે જો તમે તેનો ઉપયોગ નહીં કરો, તો પછી તમે તમારી આત્મહત્યા કરી શકો છો. કોઈ તમને રોકી શકે નહીં. નહિંતર, તમે આ બધી સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો અને સીધા કૃષ્ણ પાસે જઇ શકો છો. તો આ પ્રક્રિયા છે. દીક્ષા એટલે પૂર્ણતાની શરૂઆત. વ્યક્તિએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે, પછી કોઈ શંકા નથી. તેની ભગવદ્ ગીતામાં ખાતરી આપવામાં આવી છે. કૃષ્ણ ખાતરી આપે છે કે જો તમે કૃષ્ણમાં વિશ્વાસ કરો છો, જો તમે તેમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માનો છો, તો કોઈ શંકા હોઇ શકે નહીં. અને ચાલો આપણે કૃષ્ણ ભાવનામૃતનું પાલન કરીએ અને નિયમોનું પાલન કરીએ, અને પછી જીવનનું સફળ થવું સુનિશ્ચિત છે."
681219 - ભાષણ દીક્ષા- લોસ એંજલિસ