GU/690416 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ હું આ વસ્ત્ર પહેરી રહ્યો છું. જો તે અસ્વછ છે અથવા તો તે ખૂબ જ જૂનું છે, તો હું તે બદલીશ; હું બીજુ વસ્ત્ર સ્વીકારીશ. તે જ રીતે, આ શરીર પણ તેવું જ છે. જ્યારે તે અસ્વચ્છ હોય અથવા જ્યારે તે જૂનું થઈ જાય, ઉપયોગમાં લેવા માટે અયોગ્ય, પછી આપણે બીજા શરીરમાં બદલાઈએ છીએ, અને આ શરીર આપણે છોડી દઈએ છીએ. બધા વૈદિક સાહિત્યની આ જ સંપૂર્ણ શિક્ષા છે. તેથી આ શરીરની પ્રવૃત્તિઓ જ સર્વસ્ય નથી. અને કારણકે શરીરના વિવિધ પ્રકારો છે, જેમ આપણે આ શરીરમાં આવ્યા છીએ, શરીરની આ સ્થિતિ, ઘણા, ઘણા પ્રકારના ઘૃણાસ્પદ શરીરમાંથી પસાર થઈ રહી છે — જળચર, પશુઓ, વૃક્ષો, છોડ, સૂક્ષ્મ જીવાણુઓ, સરિસૃપ, ઘણા બધા... વારંવાર આપણે કહ્યું છે, ૮૪,૦૦,૦૦૦ પ્રકારના... તો આ એક તક છે. આ જીવન, મનુષ્ય જીવન, વધુ પ્રગતિ કરવાની એક તક છે."
690416 - ભાષણ શ્રી.ભા. - ન્યુ યોર્ક‎