GU/700505b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ સમજાવે છે:
યત કરોષિ યજ જુહોશી
યદ અશ્નાસી યત તપસ્યસિ
કુરુશ્વ તત મદ-અર્પણમ
(ભ.ગી. ૯.૨૭)

કૃષ્ણ... કર્મીઓ, તેઓ કાર્ય કરે છે. પણ કૃષ્ણ કહે છે કે, 'ઠીક છે, તમે કરો.' યત કરોષિ: 'જે પણ તમે કરો, તમે માત્ર મારા માટે કરો, અને તેનું પરિણામ મને અર્પણ કરો'. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે કાર્ય કરી શકો છો. તમે મોટી ફેક્ટરી રાખી શકો છે - પણ પરિણામ કૃષ્ણને અર્પણ કરો. પછી તમારું, તે ફેક્ટરી ચલાવવું પણ એટલું જ સારું છે જેટલું આપણે અહીં મંદિર ચલાવીએ છીએ, કારણ કે છેવટે નફો કૃષ્ણ માટે જાય છે. આપણે કેમ આ મંદિર માટે કાર્ય કરી રહ્યા છીએ, આપણી શક્તિનો ઉપયોગ કરીને? કૃષ્ણ માટે. તો કોઈ પણ કાર્યક્ષેત્ર, જો તમે કૃષ્ણ માટે ઉપયોગ કરશો, તેની જરૂર છે. તે રીતે તમે કાર્ય કરી શકો. જિજીવિશેત શતં સમા: (ઈશોપનિષદ ૨). નહીતો, તમે બદ્ધ થઇ જશો; તમે જવાબદાર હશો. કારણ કે જ્યારે તમે ઇરાદાપૂર્વક કે ગેર-ઇરાદાપૂર્વક કાર્ય કરશો, આપણે કેટલા બધા પાપ કાર્યો કરી રહ્યા છીએ."

700505 - ભાષણ ઈશોપનિષદ ૩ - લોસ એંજલિસ