GU/700507 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ, જો કે તેઓ વૃંદાવનમાં છે, ગોલોક વૃંદાવનમાં, તેમના પાર્ષદો સાથે લીલાઓનો આનંદ લેતા, તેઓ સર્વત્ર છે, પરિસ્થિતિ, આકાર, રૂપ, કાર્યો પ્રમાણે. બધી જ જગ્યાએ. તેથી એમ કહેવાયેલું છે કે પરમ ભગવાન ચાલે છે અને ચાલતા નથી. તેઓ તેમના ધામમાંથી જતા નથી. તેઓ પૂર્ણ રીતે આનંદ માણે છે. પણ તે જ સમયે, તેઓ સર્વત્ર છે. સર્વત્ર તેઓ ચાલી રહ્યા છે. જેમ કે આપણે ભોગ અર્પણ કરીએ છીએ. તો એવું ન વિચારો કે કૃષ્ણ સ્વીકાર નથી કરતા. કૃષ્ણ સ્વીકાર કરે છે, કારણ કે જો તમે ભક્તિ સાથે કંઈક અર્પણ કરો તો તેઓ તરત જ તેમનો હાથ વિસ્તાર કરી શકે છે. તદ્ અહમ ભક્તિ-ઉપહૃતમ અશ્નામી (ભ.ગી. ૯.૨૬). કૃષ્ણ કહે છે, 'જે કોઈ પણ મને અર્પણ કરે છે... શ્રદ્ધા અને પ્રેમથી અર્પણ કરે છે, હું તે ખાઉં છું'. લોકો પૂછી શકે છે કે, 'ઓહ, કૃષ્ણ ખૂબજ દૂર છે. ગોલોક વૃંદાવનમાં. તેઓ કેવી રીતે ખાય છે? તેઓ કેવી રીતે ગ્રહણ કરે છે'? ઓહ, તે જ ભગવાન છે. હા, તેઓ ગ્રહણ કરી શકે છે. તેથી એમ કહેવાયેલું છે; "તેઓ ચાલે છે, અને ચાલતા નથી."
700507 - ભાષણ ઈશોપનિષદ ૫ - લોસ એંજલિસ