GU/740614 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પરમહંસ: એવું લાગે છે કે જેટલું આપણે કૃષ્ણ ભાવનામૃત આંદોલનને આગળ ધપાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલું જ માયા આપણને રોકવા માટે અવરોધો નાખે છે.

પ્રભુપાદ: હા, પણ જેવા તમે શક્તિશાળી બનો છો, સ્વાભાવિક રીતે વધુ શત્રુઓ હશે. તે સ્વાભાવિક છે. તેથી ગઈ કાલે રાત્રે મેં કહ્યું હતું, "જો ભગવાનની કોઈ સમજણ નથી, ધર્મ ક્યાં છે?' (મંદ હાસ્ય) આ ધર્મ નથી, તેઓ છેતરે છે. ભગવાન વગર ધર્મનો કોઈ ખ્યાલ ના હોઈ શકે.

740614 - સવારની લટાર - પેરિસ