GU/Prabhupada 0164 - વર્ણાશ્રમ ધર્મની સ્થાપના થવી જ જોઈએ માર્ગને સરળ બનાવવા માટે



Room Conversation Varnasrama System Must Be Introduced -- February 14, 1977, Mayapura

હરિ-સૌરી: પણ ચૈતન્ય મહાપ્રભુના વ્યવહારિક શિક્ષણમાં તેમણે લોકોને માત્ર જપ કરવાનું શિક્ષણ આપ્યું છે.

પ્રભુપાદ: તે સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી.

હરિ-સૌરી: શું, માત્ર લોકોને જપ કરવા માટે કહેવું? તેમણે માત્ર લોકોને જપ કરવાનું કહ્યું.

પ્રભુપાદ: પણ કોણ જપ કરશે? કોણ જપ કરશે?

સતસ્વરૂપ: પણ જો તેઓ જપ નહીં કરે, તો તેઓ વર્ણાશ્રમમાં તાલીમ નહીં લે. તે સૌથી સરળ છે.

પ્રભુપાદ: જપ તો હશે, પણ તમે એવી અપેક્ષા ના કરી શકો કે લોકો ચૈતન્ય મહાપ્રભુની જેમ જપ કરશે. તેઓ સોળ માળા પણ જપ નથી કરી શકતા. (અને) આ ધૂર્તો ચૈતન્ય મહાપ્રભુ જેવા બની જશે.

સતસ્વરૂપ: ના. પણ જો તેઓ જપ કરશે અને થોડો પ્રસાદ લેશે...

પ્રભુપાદ: જપ તો ચાલતો જ રેહશે. તે રોકાશે નહીં. પણ તેજ સમયે માર્ગને સરળ બનાવવા વર્ણાશ્રમની સ્થાપના થવી જ જોઈએ.

હરિ-સૌરી: ઓછામાં ઓછું, મારી સમજમાં તો કીર્તનનો પ્રવેશ કલિયુગમાં એટલે થયો હતો કારણકે વર્ણાશ્રમ સંભવ નથી.

પ્રભુપાદ: હા, કારણકે તે મનને સાફ બનાવશે. કીર્તન રોકાશે નહીં.

હરિ-સૌરી: તેથી આ કીર્તનનો પ્રવેશ એટલે થયો હતો કે તે આ વર્ણાશ્રમ અને બીજી પદ્ધતિઓની જગ્યા લેશે.

પ્રભુપાદ: હા, તે જગ્યા લઇ શકે છે? પણ કોણ જગ્યા લેવડાવશે? તે... લોકો એટલા બધા ઉન્નત નથી. જો તમે હરિદાસ ઠાકુરનું અનુકરણ કરશો જપ કરવા માટે, તે શક્ય નથી.

સતસ્વરૂપ: અમે તેમને કહીશું કે નોકરી કરો અને સાથે સાથે જપ પણ કરો.

પ્રભુપાદ: હા, થાકહ આપનાર કાજે, ભક્તિવિનોદ ઠાકુર. આપનાર કાજ કી. ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરી છે, સ્થાને સ્થિતઃ.(શ્રી.ભા. ૧૦.૧૪.૩). અને જો તે તેમના સ્થાનમાં નહીં રહે, ત્યારે સહજીયાનો જપ આવશે. જેમ કે સહજીયાની પાસે પણ જપમાળા છે... પણ સાથે તેમના સાથે ત્રણ ડઝન સ્ત્રીઓ પણ છે. આ પ્રકારનો જપ ચાલશે. જેમ કે આપણો મધુદ્વિષ. તે સન્યાસ માટે યોગ્ય ન હતો છતાં તેને સન્યાસ આપવામાં આવ્યો હતો. અને પાંચ સ્ત્રીઓથી તે આસક્ત હતો, અને તેણે ખુલાસો કર્યો. તેથી વર્ણાશ્રમ-ધર્મની જરૂરત છે. માત્ર દેખાડો નહીં ચાલે. તો આ વર્ણાશ્રમ ધર્મને આખી દુનિયામાં દાખલ કરવો જોઈએ, અને...

સતસ્વરૂપ: ઇસ્કોન સમાજથી શરૂઆત કરીને દાખલ કરવાનું?

પ્રભુપાદ: હા, હા. બ્રાહ્મણ, ક્ષત્રીય. એક નિયમિત શિક્ષણ હોવું જોઈએ.

હરિ-સૌરી: પણ આપણા સમાજમાં..., આપણે તો વૈષ્ણવની જેમ પ્રશિક્ષિત થઈએ છીએ...

પ્રભુપાદ: હા.

હરિ-સૌરી: ... તો આપણે આપણા સમાજમાં કેવી રીતે વિભાજન પાડી શકશું?

પ્રભુપાદ: વૈષ્ણવ તેટલું સરળ નથી. વર્ણાશ્રમ ધર્મની સ્થાપના એક વૈષ્ણવ બનાવવા માટે થવી જોઈએ. વૈષ્ણવ બનવું એટલું સરળ નથી.

હરિ-સૌરી: ના, તે કોઈ સસ્તી વાત નથી.

પ્રભુપાદ: હા. તેથી આ થવું જોઈએ. વૈષ્ણવ, વૈષ્ણવ બનવું, સરળ વાત નથી. જો વૈષ્ણવ, વૈષ્ણવ બનવું એટલું સરળ હોય, કેમ એટલા બધા પતિત થાય છે, પતિત થાય છે? તે સરળ નથી. સન્યાસ સૌથી ગુણવાન બ્રાહ્મણ માટે છે. અને માત્ર વૈષ્ણવ જેવો વેશ પેહરીને,... તે પતન છે.

હરિ-સૌરી: તો વર્ણાશ્રમ ધર્મ કનીષ્ઠો માટે છે, કનિષ્ઠ અધિકારી.

પ્રભુપાદ: કનિષ્ઠ?

હરિ-સૌરી: જ્યારે વ્યક્તિ શિખાઉ સ્તર ઉપર હોય છે.

પ્રભુપાદ: હા. હા. કનિષ્ઠ અધિકારી, હા.

હરિ-સૌરી: તો વર્ણાશ્રમ પ્રથા લાભદાયક છે.

પ્રભુપાદ: કનિષ્ઠ અધિકારી એટલે કે તે બ્રાહ્મણ હોવો જોઈએ. તે કનિષ્ઠ અધિકારી છે. આધ્યાત્મિક જીવન, કનિષ્ઠ અધિકારી, એટલે કે તે એક ગુણવાન બ્રાહ્મણ હોવો જોઈએ. તે કનિષ્ઠ છે. જે આ ભૌતિક જગતમાં ઉંચા સ્તરના નામે પ્રખ્યાત છે, બ્રાહ્મણ, તે કનિષ્ઠ અધિકારી છે.