GU/Prabhupada 0275 - ધર્મ મતલબ કર્તવ્ય



Lecture on BG 2.7 -- London, August 7, 1973

તો ગુરુ કૃષ્ણ છે. અહીં અર્જુન દ્વારા ઉદાહરણ અપાયેલું છે. પૃચ્છામિ ત્વામ. તે ત્વામ કોણ છે? કૃષ્ણ. "તમે મને કેમ પૂછો છો? ધર્મ-સંમૂઢ ચેતા: (ભ.ગી. ૨.૭). "હું મારા કર્તવ્યોમાં ભ્રમિત છું, ધર્મ." ધર્મ મતલબ કર્તવ્ય. ધર્મમ તુ સાક્ષાદ ભગવદ પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). સંમૂઢ ચેતઃ "તો મારે શું કરવું જોઈએ?" યત શ્રેય: "વાસ્તવમાં મારું કર્તવ્ય શું છે?" શ્રેય. શ્રેય: અને પ્રેય:. પ્રેય:.. બે વસ્તુ છે. પ્રેય એટલે કે જે મને તરત જ ગમે છે, ખૂબજ સરસ. અને શ્રેય એટલે કે અંતિમ લક્ષ્ય. બે વસ્તુઓ છે. જેમ કે એક બાળકને આખો દિવસ રમવું ગમે છે. તે બાળકનો સ્વભાવ છે. તે શ્રેય છે. અને પ્રેય: એટલે કે તેણે શિક્ષણ લેવું જોઈએ જેનાથી તે ભવિષ્યમાં સારી રીતે ઠરીઠામ થાય. તે પ્રેય: ,શ્રેય: છે. તો અર્જુન પ્રેય: પૂછતો નથી. તે કૃષ્ણ પાસેથી શિક્ષા લે છે તેના પ્રેય: માટે નહીં. પ્રેયનો અર્થ છે તરત જ તે વિચારતો હતો કે :"હું લડાઈ નહી કરીને, મારા પરિવારજનોને જીવિત રાખીને સુખી રહીશ." તે, એક બાળકની જેમ વિચારતો હતો, પ્રેય. પણ જ્યારે તે તેની ચેતનામાં આવ્યો... ચેતનામાં નહીં, કારણકે તે બુદ્ધિશાળી છે. તે પ્રેય માટે પૂછતો હતો, ઉહ શ્રેય માટે. યત શ્રેય સ્યાત. "વાસ્તવમાં, મારા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે?" યત શ્રેય: સ્યાત. યત શ્રેય સ્યાત નિશ્ચિતમ (ભ.ગી. ૨.૭). નિશ્ચિતમ મતલબ પાકું, વગર કોઈ ભૂલના. નિશ્ચિતમ. ભાગવતમાં, નિશ્ચિતમ કહેવાય છે. નિશ્ચિતમ મતલબ તમારે કોઈ સંશોધન કરવાની જરૂર નથી. તે પહેલાથી જ નિર્ણિત છે. "આ નિર્ણય છે." કારણકે, આપણે આપણા નાનકડા મગજ દ્વારા, આપણે જાણી નથી શકતા કે વાસ્તવિક નિશ્ચિતમ શું છે, નિશ્ચિત શ્રેય. તે આપણને ખબર નથી. તે આપણે કૃષ્ણને પૂછવું પડશે. અથવા તેમના પ્રતિનિધિને. તો આ વસ્તુઓ છે. યઃ શ્રેય સ્યાત નિશ્ચિતમ બૃહિ તન મે.

તો... "કૃપા કરીને મને કહો." "તો હું તને કેમ કહું?" અહીં કહેવાયેલું છે: શિષ્યસ તે અહમ (ભ.ગી. ૨.૭). "હવે હું તમને મારા ગુરુના રૂપે સ્વીકાર કરું છું. હું તમારો શિષ્ય છું." શિષ્ય મતલબ: "તમે જે પણ કહેશો, હું તેનો સ્વીકાર કરીશ." તે શિષ્ય છે. શિષ્ય શબ્દ ષસ-ધાતુથી આવે છે. શસ ધાતુ. શાસ્ત્ર. શાસન. શિષ્ય. તે બધા એક જ મૂળથી છે. શસ-ધાતુ. શસ-ધાતુ એટલે કે નિયમ, શાસન. તો આપણે કેટલી બધી રીતે શાસન કરી શકીએ છીએ. આપણે શાસિત થઇ શકીએ છીએ, એક પ્રામાણિક ગુરુના શિષ્ય બનીને. તે શસ-ધાતુ છે. અથવા આપણે શસ્ત્ર, હથિયાર દ્વારા શાષિત થઇ શકીએ છીએ. જેમ કે રાજાની પાસે હથિયાર હોય છે. જો તમે રાજાનો ઉપદેશ કે સરકારના આદેશનું પાલન નહીં કરો, તો પોલીસ દળ છે, સૈન્ય દળ છે. તે શસ્ત્ર છે. અને શાસ્ત્ર પણ છે. શાસ્ત્ર એટલે કે પુસ્તક, ગ્રંથ... જેમ કે ભગવદ ગીતા. બધું જ છે. તો આપણને શાસિત થવું પડે છે... શસ્ત્ર દ્વારા, શાસ્ત્ર દ્વારા અથવા ગુરુ દ્વારા. અથવા શિષ્ય બનીને. તેથી તેમ કહેવાયેલું છે: શિષ્યસ તે અહમ (ભ.ગી. ૨.૭). "હું સ્વેચ્છાથી... હું તમને શરણાગત થાઉ છું." "હવે તું મારો શિષ્ય બની ગયો છે. તેની સાબિતી શું છે કે તું મારો શિષ્ય બની ગયો છે?" સાધી મામ ત્વામ પ્રપન્નમ. "હવે હું તમને પૂર્ણ રૂપે શરણાગત થાઉ છું." પ્રપન્નમ.