GU/Prabhupada 0450 - ભક્તિમય સેવાના અમલમાં કોઈ ભૌતિક ઈચ્છા ના લાવો



Lecture on SB 7.9.4 -- Mayapur, February 18, 1977

પદ્યુમ્ન: અનુવાદ - "નારદ મુનિ બોલ્યા: હે રાજા, જોકે ઉન્નત ભક્ત પ્રહલાદ મહારાજ એક નાનકડા છોકરા જ હતા, તેમણે બ્રહ્માજીના શબ્દો સ્વીકાર્યા. તેઓ ધીમે ધીમે ભગવાન નરસિંહ દેવ પાસે ગયા, અને બે હાથ જોડીને તેમના આદરપૂર્વક દંડવત પ્રણામ કર્યા."

પ્રભુપાદ:

તથેતિ શનકાઈ રાજન
મહા ભાગવતો અર્ભક:
ઉપેત્ય ભૂવિ કાયેન
નનામ વિદહ્રતાંજલી:
(શ્રી.ભા. ૭.૯.૪)

તો પ્રહલાદ મહારાજ મહા ભાગવત છે, સાધારણ ભક્ત નહીં. અર્ભક: અર્ભક: મતલબ નિર્દોષ બાળક, પાંચ વર્ષનો નાનો બાળક. પણ મહા ભાગવત. એવું નહીં કે કારણકે તે છોકરો છે... અહૈતુકી અપ્રતિહતા (શ્રી.ભા. ૧.૨.૬). એક નાનો બાળક મહા ભાગવત બની શકે, અને એક બહુ જ શિક્ષિત વિદ્વાન એક રાક્ષસ બની શકે. ભક્તિ એટલી ઉન્નત વસ્તુ છે કે આ વિરોધાભાસ છે. અર્ભક: અર્ભ મતલબ મૂર્ખ-જેવુ અથવા બાલિશ, પણ સાથે સાથે મહા ભાગવત. તે શક્ય છે. મહા ભાગવત મતલબ... આપણે ભક્તોના વિભિન્ન પ્રકારો વચ્ચે ભેદ કરવો જ જોઈએ: કનિષ્ઠ અધિકારી, મધ્યમ અધિકારી અને મહા ભાગવત, ઉત્તમ અધિકારી. ઉત્તમ અધિકારી.

તો આ પ્રહલાદ મહારાજ મહા ભાગવતમ, મહા ભાગવત છે, એટલા માટે નહીં કે તેઓ પાંચ વર્ષના છે... ના. તેઓ મહા ભાગવત માતાના ગર્ભમાથી જ હતા. જ્યારે તેમની માતા પર દેવતાઓએ આક્રમણ કર્યું હતું, અપહરણ, અને દેવતાઓ દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા, નારદ મુનિ ત્યાથી પસાર થઈ રહ્યા હતા: "તમે શું કરો છો?" અને "તે હિરણ્યકશિપુની પત્ની છે, અને તેના ગર્ભમાં બાળક છે. તો અમારે તે બાળકની પણ હત્યા કરી દેવી છે." નારદ મુનિએ તરત જ તેમને કહ્યું, "ના, ના, ના, ના. તે એક સાધારણ બાળક નથી. તે એક મહા ભાગવત છે. તો સ્પર્શ ના કરશો." તો તેઓ સહમત થયા. નારદ મુનિ... આ દેવતા છે. જોકે તેમણે કોઈ ભૂલ કરી હતી, જેવુ નારદ મુનિએ તેમને આજ્ઞા આપી કે "કોઈ ક્ષતિ પહોંચાડવાનો પ્રયત્ન ના કરતાં. તે મહા ભાગવત છે," તરત જ... તો નારદ મુનિએ કહ્યું, "મારી પ્રિય પુત્રી, તું મારી સાથે આવ જ્યાં સુધી તારો પતિ પાછો ન આવે." હિરણ્યકશિપુ દેવતાઓને પરાજિત કરવા માટે કડક તપસ્યાઓ કરવા માટે ગયો હતો. આ દાનવોની તપસ્યાઓ છે. હિરણ્યકશિપુ ઘણી તીવ્ર પ્રકારની તપસ્યામાં પ્રવૃત્ત હતો. ઉદેશ્ય શું હતો? કોઈ ભૌતિક ઉદેશ્ય.

પણ તે પ્રકારની તપસ્યા, બેકાર છે. શ્રમ એવ હી કેવલમ (શ્રી.ભા. ૧.૨.૮). ભૌતિકવાદીઓ, તેઓ તપસ્યાઓ કરે છે. જો તેઓ કરે નહીં, તેઓ સુધારી ના શકે, ક્યાં તો તેમના વેપાર વાણિજ્ય, અથવા આર્થિક ક્ષેત્ર, અથવા રાજનૈતિક ક્ષેત્ર. તેમણે ઘણી, ઘણી સખત મહેનત કરવી પડે છે. જેમ કે અમારા દેશમાં, મહાન નેતા મહાત્મા ગાંધી, તેમણે ઘણો, ઘણો સખત પરિશ્રમ કરવો પડેલો. તેમણે તેમના વીસ વર્ષ ડર્બનમાં બગાડ્યા અને ત્રીસ વર્ષ ભારતમાં. હું કહીશ તેમનો સમય બગાડયો. શેના માટે? કોઈ રાજનૈતિક ઉદેશ્ય માટે. તેમનો રાજનૈતિક ઉદેશ્ય શું હતો? "હવે આપણે એક દળ છીએ જેનું નામ છે ભારતીય. આપણે અંગ્રેજોને કાઢી મૂકવા જ જોઈએ અને પરમ સત્તા લેવી જોઈએ." આ હેતુ છે. તો આ અન્યાભિલાષીતા શૂન્યમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭). આ હેતુ શું છે? આજે તમે ભારતીય છો; કાલે તમે કઈ અલગ હશો. તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). તમારે તમારું શરીર બદલવું જ પડે. તો આગલું શરીર કયું છે? શું તમે ફરીથી ભારતીય જ બનવાના છો? કોઈ ખાત્રી નથી. જો તમને ભારત માટે આટલી લાગણી હોય પણ, ઠીક છે, તમારા કર્મ પ્રમાણે તમને શરીર મળશે. જો તમને એક ભારતીય શરીર મળશે વૃક્ષનું, તો તમે પાંચ હજાર વર્ષો સુધી ઊભા રહેશો. લાભ શું છે? કૃષ્ણ કહે છે તથા દેહાંતર પ્રાપ્તિ: તેઓ કહેતા નથી કે એક મનુષ્ય ફરીથી મનુષ્ય જ બનવાનો છે. તેની કોઈ ખાત્રી નથી. કોઈ ધૂર્તો કહે છે કે એક વાર આ મનુષ્ય શરીર મળ્યા પછી, તે નીચે નથી જતો. ના. તે હકીકત નથી. હકીકત છે કે ૮૪,૦૦,૦૦૦ જીવનની અલગ અલગ યોનીઓમાથી, તમારા કર્મ પ્રમાણે તમને શરીર મળશે. બસ તેટલું જ. કોઈ ખાત્રી નથી કે તમને... અને જો તમને ભારતીય શરીર મળી પણ ગયું, કોણ તમારી પરવાહ કરે છે?

તો કૃષ્ણ ભાવનામૃત વગર, જે પણ તપસ્યાઓ આપણે કરીએ છીએ, તે ફક્ત વ્યર્થ સમયનો બગાડ છે. આપણે જાણવું જોઈએ. ફક્ત સમયનો બગાડ. કારણકે તમારે શરીર બદલવું પડશે. બધુ જ બદલાઈ જશે. તમે નગ્ન આવ્યા છો; તમારે નગ્ન જવું પડશે. તમે લાભ ના મેળવી શકો. મૃત્યુ: સર્વ હરશ ચાહમ (ભ.ગી. ૧૦.૩૪). સર્વ હરશ ચ. જે પણ તમે ભેગું કર્યું છે, બધુ જ લઈ લેવામાં આવશે. મૃત્યુ... જેમ કે હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ, જે પણ તેણે ભેગું કર્યું હતું, પ્રહલાદ મહારાજે કહ્યું, "એક સેકન્ડમાં, તમે લઈ લીધું. તો, મારા ભગવાન, શા માટે તમે આ ભૌતિક વરદાન આપી રહ્યા છો? તેનું મૂલ્ય શું છે? મે મારા પિતાને જોયા છે: ફક્ત તેમની ભ્રમરોના ફરવાથી દેવતાઓ ભયભીત થતાં હતા. આવી સ્થિતિનો તમે એક સેકન્ડમાં નાશ કરી દીધો. તો આ ભૌતિક પદનું મૂલ્ય શું છે?

તો તેથી જે લોકો શુદ્ધ ભક્તો છે, તેઓ કોઈ ભૌતિક વસ્તુ માટે ઈચ્છા નથી રાખતા. તે તેમનું નથી...

અન્યાભિલાષીતા શૂન્યમ
જ્ઞાન કર્માદી અનાવૃતમ
આનુકુલ્યેન કૃષ્ણાનુ
શીલનમ ભક્તિર ઉત્તમા
(ભ.ર.સિ. ૧.૧.૧૧)

આપણે હમેશા તેનું ધ્યાન રાખવું જોઈએ. ભક્તિમય સેવાના અમલમાં કોઈ ભૌતિક ઈચ્છા ના લાવો. તે શુદ્ધ નથી. ન સાધુ મન્યે યતો આત્મનો અયમ અસન્ન અપિ ક્લેશદ આસ દેહ (શ્રી.ભા. ૫.૫.૪). જેવી તમે ભૌતિક ઈચ્છાઓ લાવો છો, તો તમે તમારો સમય બગાડયો છે. કારણકે તમારે એક શરીર મેળવવું પડશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. કૃષ્ણ એટલા દયાળુ છે - યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામી (ભ.ગી. ૪.૧૧) - જો તમારે ભક્તિ દ્વારા કોઈ ઈચ્છા પૂરી કરવી છે, કૃષ્ણ બહુ દયાળુ છે: "ઠીક છે." પણ તમારે બીજું શરીર લેવું પડશે. અને જો તમે શુદ્ધ છો, ફક્ત, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ ઈતિ (ભ.ગી. ૪.૯). આની જરૂર છે, શુદ્ધ ભક્ત. તેથી અમે દરેક વ્યક્તિને સલાહ આપીએ છીએ કે એક શુદ્ધ ભક્ત બનો. શુદ્ધ ભક્ત... આ ઉદાહરણ છે, મહા ભાગવત. આ પાંચ-વર્ષનો છોકરો, તેને (ભગવાનને) સંતુષ્ટ કર્યા સિવાય, ભગવાનના શુદ્ધ ભક્ત બન્યા સિવાય, બીજું કોઈ કાર્ય નથી.