GU/Prabhupada 0893 - આ દરેકની આંતરિક ઈચ્છા છે. કોઈને કામ નથી કરવું



730417 - Lecture SB 01.08.25 - Los Angeles

ભક્ત: અનુવાદ: "હું ઈચ્છું છું કે આ બધી આપત્તિઓ વારંવાર આવે જેથી હું તમને વારંવાર જોઈ શકું, કારણકે તમને જોવાનો મતલબ જન્મ અને મૃત્યુના ચક્કરમાથી છૂટકારો."

પ્રભુપાદ: તો આ બહુ રસપ્રદ શ્લોક છે, કે વિપદા, આપત્તિઓ, ખતરો, તે બહુ સરસ છે કે જો આવા ખતરા અને આપત્તિઓ મને કૃષ્ણની યાદ અપાવે. તે બહુ સરસ છે. તત તે અનુકંપામ સુ સમિક્ષમાણો ભૂંજાન એવાત્મ ક્ર્તમ વિપાકમ (શ્રી.ભા. ૧૦.૧૪.૮). એક ભક્ત, તે ભયાનક સ્થિતિને કેવી રીતે સ્વીકારે છે? ભયાનક સ્થિતિ તો આવશે જ. ખતરો... કારણકે આ સ્થળ, આ ભૌતિક જગત તે ખતરાઓથી ભરેલું છે. આ મૂર્ખ વ્યક્તિઓ, તેઓને તે ખબર નથી. તેઓ ખતરાઓને ટાળવાની કોશિશ કરે છે. તે અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે. દરેક સુખી થવા અને ખતરાને ટાળવા પ્રયાસ કરી રહ્યું છે. આ ભૌતિક કાર્ય છે. આત્યંતિક સુખમ. આત્યંતિક સુખમ. પરમ સુખ. એક માણસ કામ કરે છે અને વિચારે છે: " ચાલ હવે હું ખૂબ મહેનત કરું, અને બઁક બેલેન્સ ભેગું કરું જેથી જ્યારે હું ઘરડો થાઉં, હું કઈ કામ કર્યા વગર જીવનને માણી શકું." તે બધાની આંતરિક ઈચ્છા છે. કોઈને કામ નથી કરવું. જેવુ તેની પાસે થોડું ધન આવે છે તેને કામ માથી નિવૃતિ લેવી હોય છે, અને સુખી થવું હોય છે. પણ તે શક્ય નથી. તમે તે રીતે સુખી ના થઈ શકો.

અહિયાં તે કહ્યું છે: અપુનર ભવ દર્શનમ (શ્રી.ભા. ૧.૮.૨૫). સાચો ખતરો તે છે કે.... તે અપુનઃ વિષે વાત કરી રહ્યા છે. અપુનઃ મતલબ... અ મતલબ નહીં, અને પુનર ભવ મતલબ જન્મ મૃત્યુનું ચક્કર. સાચો ખતરો છે જન્મ મૃત્યુનું ચક્કર. તેને અટકાવવું પડશે. અને આ કહેવાતો ખતરો નહીં. આ બધુ... આ ભૌતિક જગત ખતરાઓથી ભરપૂર છે. પદમ પદમ યદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). જેમ કે તમે મહાસાગરમાં છો. જો તમે મહાસાગરમાં છો, તમારી પાસે ખૂબ મજબૂત નાવ હોઈ શકે છે, ખૂબ સુરક્ષિત નાવ, પણ તે સુરક્ષા નથી. કારણકે તમે દરિયામાં છો, કોઈ પણ ક્ષણે ખતરાઓ આવી શકે છે. કદાચ તમને યાદ છે તમારા દેશમાથી, એક હતું, શું હતું તે, ટાઈટેનિક?

ભક્ત: ટાઈટેનિક.

પ્રભુપાદ: બધુ સુરક્ષિત હતું, પણ પહેલા જ સફરમાં તે ડૂબી ગયું, અને તમારા દેશના બધા મહત્વપૂર્ણ પુરુષો, તેઓએ તેમનું જીવન ગુમાવ્યું. તો ખતરો તો રહેશેજ કારણકે તમે એક ભયાનક સ્થિતિમાં છો. આ ભૌતિક જગત પોતેજ એક ભયાનક સ્થિતિ છે. તો આપણું કાર્ય છે કે... ખતરો તો રહેશે જ. હવે આપણું કાર્ય હોવું જોઈએ કે કેવી રીતે આ દરિયાને બને તેટલું જલ્દી પાર કરી દઈએ. જ્યાં સુધી તમે દરિયામાં છો, તમે ભયાનક સ્થિતિમાં છો, ગમે તેટલી મજબૂત તમારી નાવ હશે. તે સત્ય છે. તો તમારે દરિયાની લહેરોથી વિચલિત થવું ના જોઈએ. ફક્ત દરિયાને પાર કરવાની કોશિશ કરો. બીજા કાંઠે જાઓ. બસ તે જ તમારું કાર્ય છે. તેવી જ રીતે, જ્યાં સુધી તમે આ ભૌતિક જગતમાં છો, ભયાનક આપત્તિઓ તો આવશે જ કારણકે આ આપત્તિઓનું જ સ્થાન છે. તો આપણું કાર્ય છે, આ આપત્તિઓ અને ખતરાઓમાં પણ, કેવી રીતે આપની કૃષ્ણ ભાવનાને વિકસિત કરવી, અને આ શરીર છોડયા પછી, આપણે ઘરે જઈશું, કૃષ્ણ પાસે. તે આપણું કાર્ય હોવું જોઈએ. આપણે આ બધી કહેવાતી આપત્તિઓથી વિચલિત થવું ના જોઈએ. તે કહેવાતી નથી; તે વાસ્તવિક છે.