"આપણે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે આધ્યાત્મિક ગુરુઓ શિસ્તનાં અનુગામી હોય છે. સાચાં આધ્યાત્મિક ગુરુઓ એ ઈશ્વર જેવા અને સર્વોપરી હોય છે. તેઓ બ્રહ્માની જેમ તેમનાં બીજા શિષ્યોને આશીવાર્દ આપે છે. બ્રહ્મા તેમનાં નારદ જેવા બીજા શિષ્યોને આશીર્વાદ આપે છે, નારદજી તેમનાં વ્યાસજી જેવાં બીજા શિષ્યોને આશીર્વાદ આપે છે, વ્યાસજી તેમનાં માધવાચાર્ય જેવા બીજા શિષ્યોને આશીર્વાદ આપે છે. એવીજ રીતે આશીર્વાદ મળે છે. એવી રીતે આ ભવ્ય પરંપરાગત રીતે અથવા વારસાગત રીતે ગાદી પ્રાપ્ત થાય છે. એવીજ આવીજ રીતે આ શકિત ઈશ્વરજેવા સર્વોપરી વ્યક્તિત્વમાંથી પ્રાપ્ત થાય છે. તેવીજ રીતે કોઈપણ સાચા માર્ગનાં અનુસરણ વિના કોઈપણ આધ્યાત્મિક ગુરુ બની શકતું નથી અને કોઈપણ પ્રવચન પણ કરી શકતું નથી."
|