GU/Prabhupada 0301 - સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓ – તેઓ નાચી રહ્યા છે
Lecture -- Seattle, October 2, 1968
હવે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને આપણને ભગવાન ચૈતન્યના શિક્ષાના અનુસરે શીખવું જોઈએ. તે...પાંચ સો વર્ષો પેહલા,તે બંગાળમાં પ્રકટ થયા હતા, ભારતના એક રાજ્યમાં,અને વિશેષ કરીને તે કૃષ્ણ ભાવનામૃત આંદોલનને પ્રચાર કર્યા હતા. તેમનો સંદેશ છે કે જે pan ભારતમાં જન્મેલો છે તેને આ કૃષ્ણ ભાવનામૃતના સંદેશને ગંભીરતાથી સ્વીકાર કરવું જોઈએ, અને દુનિયાભરમાં વિતરણ કરવું જોઈએ.તે આદેશને પાલન કરવા માટે અમે તમારા દેશમાં આવ્યા છે. તો મારો નિવેદન છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયાસ કરો, તમારા સંપૂર્ણ જ્ઞાનથી,ધ્યાનથી અવલોકન કરીને.તેને અંધામાં સ્વીકારના કરતા. તમે તમારા વાદવિવાદ,જ્ઞાન,ન્યાય અને સાક્ષાત્કાર દ્વારા સમજવાનો પ્રયાસ કરો- તમે એક મનુષ્ય છો - અને તમને તે શ્રેષ્ઠ,શ્રેષ્ઠ લાગશે,નિઃસંદેહ. અમે આ ગ્રંથને છાપ્યો છે,ભગવાન ચૈતન્યના શિક્ષાઓને,અને બીજા કેટલા બધા પુસ્તકો પણ,બીજા કેટલા બધા પુસ્તકોને પણ, તો તેને વાંચવાનો પ્રયાસ કરો.અને અમારા પાસે અમારા મેગઝીન છે,ભગવદ્ દર્શન. અમે ભાવુક લોકો નથી કે,અમે તેમજ નાચીએ છીએ. તે નૃત્યનો મહાન ભાવ છે;તે છે,જો તમે અમારા સાથે નાચશો,તમને લાગશે. એમ નથી કે કોઈ ગાંડા લોકો નાચે છે.નથી. સૌથી બુદ્ધિમાન લોકો,તે નાચે છે. તે એટલી સારી રીતે બનાવેલું છે કે એક છોકરો પણ - જેમ કે અહીં,એક છોકરો છે - તે પણ ભાગ લઇ શકે છે.સમગ્ર વિશ્વમાં. મળો,હરે કૃષ્ણનો જાપ કરો,અને તમે સાક્ષાત્કાર કરશો.ખૂબજ સરળ પદ્ધતિ. તમને ખૂબજ ઊંચી સિદ્ધાંત કે શબ્દ ભ્રમને સમજવાની જરૂરત નથી,આ કે બીજો. સરળ વસ્તુ.તે સરળ વસ્તુ શું છે? ભગવાન મહાન છે,બધા જાણે છે,અને આપણે તે મહાનના અંશ છીએ. તો જ્યારે આપણે તે મહાન સાથે મળી જઇયે,ત્યારે આપણે પણ મહાન બની જઇયે. જેમ કે તમારો દેહ,તમારા દેહનો નાનકડો અંગ,એક નાનકડો અંગૂઠી કે પગની અંગૂઠી, તે પણ તમારા સંપૂર્ણ દેહનો સમાન ભાવનો છે. પણ જેમજ તે નાનકડો ભાગ કે મોટો ભાગ દેહથી બહાર પડી જાય છે,ત્યારે તેનો કોઈ મૂલ્ય નથી. તેનો કોઈ પણ મૂલ્ય નથી.આ અંગૂઠી,તમારા દેહનો એક નાનકડો ભાગ. જો કોઈ પણ દુઃખ છે,ત્યારે તમે હજારો ડોલર ખર્ચ કરો છો. તમે ડોક્ટરને હજારો ડોલરો આપો છો,દુઃખનો નિવારણ કરવા માટે. અને જ્યારે તે ડોક્ટર કહે છે કે,"આ અંગૂઠીને",શું કહેવાય છે, "સ્થાનાંતરિત કે કાપી નાખવામાં જોઈએ છીએ,નહીંતર આખો દેહ રોગી બનશે," તો જ્યારે તે અંગૂઠી દેહથી કાપી નાખવામાં આવે છે,ત્યારે તમે તેના વિષે વધારે ધ્યાન નથી આપતા. કોઈ મૂલ્ય નથી.જરા સમજવાનો પ્રયાસ કરો. એક ટાઈપરાઇટિંગ યંત્ર,એક નાનો સ્ક્રુ જ્યારે તે દેખાતું નથી,તમારો યંત્ર સરખી રીતે ચાલતો નથી, તમે એક ઠીક કરવાના યંત્રમાં જાઓ.તે દસ ડોલર લે છે.તમે તરત જ આપો છો. તે નાનકડો સ્ક્રુ,જ્યારે તે યંત્રથી બહાર આવે છે,તેને એક પૈસાનો પણ મૂલ્ય નથી. તેમજ,આપણે બધા તે પરમના અંશ છીએ. જો આપણે બધા તે પરમ માં કાર્ય કરશું,જેનો અર્થ છે કે જો આપણે ભગવદ્ ભાવનામૃત કે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીશું, કે,"હું અંશ છું...".જેમ કે આ અંગૂઠી પૂર્ણ રીતે મારા દેહના ચેતનામાં કાર્ય કરે છે, જ્યારે પણ થોડો દુઃખ છે,મને લાગે છે. તેમજ,જો તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરશો,ત્યારે તમે તમારા સ્વાભાવિક પરિસ્થિતિમાં રહો છો,ત્યારે તમારું જીવન સફળ છે. અને જેમજ તમે કૃષ્ણ ભાવનામૃતથી વિલાગ થઇ જાવો,ત્યારે આખું સંકટ આવી જાય છે.આખું સંકટ આવી જાય છે. તો કેટલા બધા ઉદાહરણો છે અમે રોજ કક્ષામાં બતાવીયે છીએ. તો આપણને આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું જોઈએ જો આપણને ક્યારે પણ સુખી બનવું છે તો, અને આપણા સ્વાભાવિક સ્તિથીમાં સ્થિત હોવું જોઈએ.તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.