GU/Prabhupada 0180 - હરે કૃષ્ણ મંત્ર રોગનાશક છે
Lecture on SB 1.5.11 -- New Vrindaban, June 10, 1969
વીનાપીપદા-ચતુર્યમ ભગવદ્-યસહ-પ્રધાનામ વાચા: પવિત્રમ ઈતી અહ તદ્ વાગ્ પિવ ઈતી. તે ઍટલું શુદ્ધ છે. શું કહેવાય છે? જંતુનાશક. આખા જગતને માયાના પ્રભાવનૉ ચેપ લાગ્યો છે, અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, હરે કૃષ્ણ મંત્ર, જંતુનાશક છે. તે ખરેખર છે. જંતુનાશક. તદ્-વાગ્-વિસર્ગો જનતાઘ-વિપ્લાવો. ભગવદ્-યસહ-પ્રધાનામ વાચા: પવિત્રમ ઈતી અહ તદ્ વાગ્ ઈતી, સ ચસૌ વાગ્-વિસર્ગો વચાહ પ્રયોગાહ. જનનાં સંમુહો જનતા, તસ્યા અઘમ વિપ્લવતી નસ્યતી. વિપ્લવ મતલબ તે નાશ કરે છે. કારણ કે જંતુનાશક છે. ઉદાહરણ તરીકે, આપણે આ કૃષ્ણ ભાવાનામૃત આંદોલન કેવી રીતે જંતુનાશક છે તે હવે આપી શકી, કે જેઓ આને ગંભીરતાથી લે છે, તેઓ તરત જ પાપી ચેપ ને અટકાવે છે, ચાર સિદ્ધાંતો, નિયમન સિદ્ધાંતો, ગેરકાયદે લૈંગિક જીવન, નશો, જુગાર અને માંસ ભક્ષણ. તે કેવીરીતે જંતુનાશક છે. આ ચાર સિદ્ધાંતો પાપી પ્રવૃત્તિઓ વધારે છે. અન્ય તમામ પાપી પ્રવૃત્તિઓ એક પછી એક, એક પછી એક આવે છે. ચોરી, પછિ છેતરપિંડી, પછી... ઘાણીબધી અન્ય વસ્તુઓ આવશે જો આપણે આ ચાર સિદ્ધાંતો અનુસરિ તો. અને જો આપણે આ ચાર સિદ્ધાંતો બંધ કરી, તો પછી વધુ પાપી પ્રવૃત્તિઓ કરવાની સ્વીચ બંધ થાય છે. તમને ખબર હોવી જ જોઈએ. અને તેની કેવી રીતે જાળવણી કરી શકાય? આ જંતુનાશક પદ્ધતિ દ્વારા, હરે કૃષ્ણ રટણ. નહિંતર, તે, ખાલી સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા શું થશે નહિં. તેથી તે ખરેખર, જંતુનાશક છે. જનતાઘા-વિપ્લવો. આ તે વ્યક્તિની વધુ પાપી પ્રવૃત્તિઓ અટકાવે છે. અને જો આપણે ચાલુ રાખિયે, કે "ઠીક છે, મને હરે કૃષ્ણ રટણ જંતુનાશક પદ્ધતિ મળી છે. તેથી હું પાપના આ ચાર સિદ્ધાંતો પર જઈ શકું છું, અને હું જંતુ(રહિત) થઈ જઈશ" જેમ તેઓ ખ્રિસ્તી ચર્ચમાં જાય છે, કન્ફેસ (કબૂલાત) કરવા. તે સાચું છે. કબૂલ કરવું ઍ જંતુનાશક છે. પરંતુ તમે તેને ફરીથી કેમ કરો છો? અર્થ શું છે? તમે ચર્ચ પર જાઓ, કબૂલાત કરો. તે ખૂબ જ સારું છે. હવે તમારી પાપી પ્રવૃત્તિઓ તટસ્થ થઈ જાય છે. તે બધું સારુ છે. પરંતુ શા માટે તમે ફરીથી કરો છો? જવાબ શું છે? હમ્મ? જો હું કોઇ ખ્રિસ્તી સજ્જન ને પુછું તૉ શક્ય જવાબ શું હશે: "તમે પાપી પ્રવૃત્તિઓ કરો છો, ઠીક છે, ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રતિનિધિ છે, અથવા તેના પ્રતિનિધિ, અથવા ભગવાન આગળ, કબૂલ કરોછો. તમારી બધી પાપી પ્રવૃત્તિઓ નાશ પામે છે, માફી મળી જાય છે. તે બધું સાચું છે. પરંતુ શા માટે તમે તે ફરીથી કરો છો?" શું જવાબ હશે? નર-નારાયણ: તેઓ ફરી કબુલાત કરશે. પ્રભુપાદ: તેઓ ફરી કબૂલાત કરશે. એનો અર્થ આ એક બિઝનેસ બની ગયું છે. કે "હું કરું..." તે વિચાર નથી. આપણી, આ ગુનાઓની યાદી તમે નોંધી છે, ગુનાઓની યાદી, કે જે નિષેધ કરે છે... નામનો બળદ યસ્યા હી પાપા-બુદ્ધિઃ જેકોઇ આવું વિચારે છે કે, "કારણ કે મને આ જંતુનાશક પદ્ધતિ મળી છે, તેથી હું પાપી પ્રવૃત્તિઓ કરી શકું અને હું હરે કૃષ્ણ જાપ કરીશ, અને તે નાશ પામશે," તે સૌથી મોટું પાપ છે.