GU/670320 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 14:28, 26 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૌતિક જગતમાં આપણે કાયમી સમાધાન માટે ઘણી યોજનાઓ બનાવી રહ્યા છીએ, પરંતુ દુર્ભાગ્યવશ, આપણને ફક્ત વિરુદ્ધ પરિણામ મળી રહ્યું છે. તે આપણા અનુભવમાં છે. એક વૈષ્ણવ કવિએ ગાયેલું ખૂબ સરસ ભજન છે. તેઓ કહે છે, સુખેરે લગિયા એ બરો ભગીનુ અનલે પુરીઆ ગેલા: "મેં આ ઘર સુખેથી જીવવા માટે બનાવ્યું છે. દુર્ભાગ્યે, તેને આગ લગાડવામાં આવી હતી, તેથી બધું સમાપ્ત થઈ ગયું." તે ચાલી રહ્યું છે. ભૌતિક જગતમાં આપણે ખૂબ જ આરામથી, શાંતિથી, શાશ્વત જીવન જીવવાની ઘણી યોજનાઓ બનાવી રહ્યા છીએ - પરંતુ તે શક્ય નથી. લોકો તે સમજી શકતા નથી. તેઓ જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે; શાસ્ત્રમાંથી આપણને સૂચના મળી રહી છે કે કંઈપણ અવિનાશી નથી. ભૌતિક જગતમાં બધું જ નાશવંત છે. અને આપણે વાસ્તવમાં જોઈ રહ્યા છીએ કે નાશવંત પ્રતિનિધિઓ હંમેશાં તૈયાર હોય છે."
670320 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૪૦-૪૪ - સાન ફ્રાન્સિસ્કો‎