GU/680611b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:59, 1 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઘણી સુવિધા આપવામાં આવી રહી છે. અને ભગવદ ગીતા પણ છે. તમે તમારા બધા કારણોથી, તમારી બધી દલીલથી, તમારી ઇન્દ્રિયોથી સમજી શકો છો કે ભગવાન શું છે. તે કટ્ટરવાદ નથી. તે બધું જ વ્યાજબી, દાર્શનિક છે. દુર્ભાગ્યે તેમણે નક્કી કર્યું છે કે ભગવાન મરી ગયા છે. ભગવાન કેવી રીતે મરી શકે? આ બીજી ધૂર્તતા છે. તમે મરી ગયા નથી; ભગવાન કેવી રીતે મરી શકે? તો ભગવાનના મરી જવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓ હંમેશાં હાજર છે, જેમ સૂર્ય હંમેશાં હાજર હોય છે. ફક્ત બદમાશો, તેઓ કહે છે કે કોઈ સૂર્ય નથી. સૂર્ય તો છે જ. તે તમારી દૃષ્ટિની બહાર છે, બસ. તે જ રીતે, "કારણકે આપણે ભગવાનને જોઈ શકતા નથી, તેથી ભગવાન મરી ગયા છે," આ દુષ્ટતા છે. તે બહુ સારો નિષ્કર્ષ નથી."
680611 - ભાષણ - મોંટરીયલ