GU/681110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 15:08, 3 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સમાજ, મિત્રતા અને પ્રેમમાં બદ્ધ લોકો માટે, આ ભૌતિક જીવનનું આકર્ષણ છે. "સમાજ, મિત્રતા અને પ્રેમ," તેઓ વિચારે છે, "દૈવી રીતે માણસને મળેલા." પરંતુ, તે પરમેશ્વરે માણસને આપેલ નથી. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી, તે માયાની ભેટ છે. સમાજ, મિત્રતા અને પ્રેમ એ માયા, ભ્રાંતિની ભેટ છે. વાસ્તવમાં, જે સમાજનો આપણે સંગ કરીએ છીએ, અને આપણે અહીં બનાવેલી મિત્રતા અને કહેવાતા પ્રેમ કેટલો સમય છે? હવે, માની લો કે હું અત્યારે માનવ સમાજમાં છું. હું માનવ સમાજમાં ક્યાં સુધી રહીશ? હું મારા આગલા જીવન માટે અથવા આગલા સમાજ માટે તૈયારી કરી રહ્યો છું. હું કૂતરાના સમાજમાં સ્થાનાંતરિત થઈ શકું છું. અને હું સ્થાનાંતરિત થઈ શકું છું..., હું ભગવાનના સમાજમાં. તે મારા કર્મ પર આધારીત હશે."
681110 - ભાષણ શ્રી.ભા. ૦૩.૨૫.૧૩ - લોસ એંજલિસ