GU/681209b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:50, 6 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વસ્તુઓ આ સ્તર પર આવી ગઈ છે, કે આ વૃદ્ધાવસ્થામાં હું તમારા દેશમાં આવ્યો છું, અને તમે પણ આ આંદોલનને ગંભીરતાથી લઈ રહ્યા છો, તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો. આપણી પાસે અત્યારે કેટલાક પુસ્તકો છે. તેથી આ ચળવળનું થોડું સ્થાન છે. હવે મારા આધ્યાત્મિક ગુરુના તિરોભાવના આ પ્રસંગે, જેમ હું તેમની ઇચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, તેવી જ રીતે, હું તમને મારો આદેશ ઇચ્છા સમજીને પૂરી કરવા વિનંતી કરી રહ્યો છું. હું એક વૃદ્ધ માણસ છું. હું કોઈપણ ક્ષણે પણ મૃત્યુ પામી શકું છું. તે પ્રકૃતિનો નિયમ છે. કોઈ તેને રોકી શકે નહીં. તો તે બહુ આશ્ચર્યજનક નથી. પરંતુ મારા ગુરુ મહારાજના તિરોભાવના આ શુભ દિવસે તમને મારી વિનંતી છે કે, ઓછામાં ઓછા થોડેક અંશે તમે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો સાર સમજ્યા છો. તમારે તેને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ."
વ્યાખ્યાન મહોત્સવ ભક્તિસિદ્ધાંત સરસ્વતી તિરોભાવ દિવસ - લોસ એંજલિસ