GU/681213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમને લાગે કે "હું અડધો પાણી, અડધો દૂધ રાખીશ," તે કરી શકાય છે, પરંતુ તે બંને પાતળા અથવા પ્રદૂષિત થઈ જાય છે. જો તમે દૂધ રાખવા માંગતા હો, તો તમારે પાણી ફેંકી દેવું પડશે, અને જો તમે પાણી રાખવા માંગતા હો, તો તમે દૂધ રાખી શકતા નથી. એ જ રીતે ભક્તિ પેરસનુભાવાહ .આ કસોટી છે. જો તમે કૃષ્ણ સભાન બનશો, જો તમે આધ્યાત્મિક જીવનમાં સુધારો કરી રહ્યા છો, તો પ્રમાણમાં તમે ભૌતિકવાદી જીવનથી અલગ થશો. તે કસોટી છે. ખાલી એવું વિચારીને કે "હું ઘણું ધ્યાન કરું છું, હું ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છું," એવું નથી. તમારે પરીક્ષણ કરવું પડશે. કસોટી એ છે કે તમારી ... આધ્યાત્મિક જીવનમાં સુધારો એનો અર્થ છે કે તમે ભૌતિકવાદી જીવનની રીતથી અલગ થઈ જાઓ. "
681213 - ભાષણ બિગ ૦૨.૪૦-૪૫ - લોસ એંજલિસ