"હરિદસા ઠાકુર જેમ. હરિદાસ ઠાકુર હંમેશાં એકાંત સ્થળે જપ કરતા હતા. હવે, જો કોઈ, જેમ કે ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા વિના, અનુકરણ કરે છે, "ઓહ, હરિદાસ ઠાકુર જાપ કરે છે. મને એકાંતમાં બેસીને જાપ કરવા દો," તે એમ કરી શકશે નહીં. તે શક્ય નથી. તે ખાલી અનુકરણ કરશે અને તે બધી બકવાસ કરશે. તેથી દરેક વ્યક્તિએ તેમના પોતાના કાર્યમાં રોકાયેલું હોવું જોઈએ, અને તેના કાર્યના ફળ દ્વારા, તેણે કૃષ્ણ સેવા કરવી જોઈએ. આપણે હરિદાસ ઠાકુરનું અનુકરણ કરી શકતા નથી. તે એક અલગ સ્થિતિ છે.જો કોઈને તે પદ પર ઉન્નત કરવામાં આવે છે, તો તે એક અલગ વસ્તુ છે, પરંતુ સામાન્ય રીતે, તે સામાન્ય વ્યક્તિ માટે નથી. તેથી દરેક વ્યક્તિએ તેની વ્યાવસાયિક ફરજ બજાવવી જોઈએ અને તેના કાર્ય દ્વારા ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ ."
|