"આપણું પાપી જીવન એટ્લે અજ્ઞાનતા અને અજ્ઞાનતાનું જ કારણ છે. જેમકે હું આ જ્યોતને અડકું તો તે મને દઝાડશે. કોઈક કહેશે, “ અરે, તું તો દાઝ્યો. તમે તો પાપી છો.” આ સામાન્ય સમજની વાત છે. “ તમે દાઝ્યા. તમે પાપી છો અને એટ્લે જ દાઝ્યા. “ તે એક બીજી સમજ છે, જે સાચી છે. “હું પાપી છું”. એટ્લે કે હું નથી જાણતો કે જો હું જ્યોતને અડકું તો હું દાઝી જઈશ. આ અજ્ઞાનતા એ જ મારૂ પાપ છે. પાપી જીવન એટ્લે કે અજ્ઞાનમય જીવન. તેથી આ ત્રીજા-ચોથા શ્લોકમાં “ જરાક સત્યને જાણવા પ્રયત્ન કરો. અજ્ઞાની ન રહો. આધ્યાત્મિક ગુરુને મળીને સત્ય જાણવાનો જરાક પ્રયત્ન કરો. “ સાધનો અને સંસાધનો છે તો શામાટે તમે અજ્ઞાનમાં રહો છો? આ મારી મૂર્ખતા છે અને તેથી હું પીડાઉ છું."
|