GU/690218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:05, 23 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધારો કે તમે કૃષ્ણ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, અને તમારું મન ક્યાંક સિનેમા ગૃહમાં, ક્યાંક બીજે જઈ રહ્યું છે. તો તમારે પાછું ખેંચવું જોઈએ, "ત્યાં નહીં. મહેરબાની કરીને, અહીં." આ યોગાભ્યાસ છે: મનને કૃષ્ણથી દૂર ન જવા દેવું. જો તમે ફક્ત આનો જ અભ્યાસ કરી શકો, તમારા મનને કૃષ્ણથી દૂર ન જવા દેવું... અને કારણ કે આપણે આપણા મન એક જ જગ્યાએ કૃષ્ણમાં સ્થિર નથી કરી શકતા, તેને ખૂબ જ ઉચ્ચ પ્રશિક્ષણની જરૂર પડે છે. કોઈ એક જગ્યાએ બેસવું અને હંમેશા કૃષ્ણમાં મનને સ્થિર કરવું, તે બહુ સરળ કાર્ય નથી. જે વ્યક્તિને તેનો અભ્યાસ નથી, જો તે ફક્ત અનુકરણ કરે, તો તે મૂંઝવણમાં મૂકાઈ જશે. આપણે હંમેશાં પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં રાખવી પડે. આપણે જે કંઈ પણ કરીએ છીએ તે કૃષ્ણમાં બંધબેસતું હોવું જોઈએ. આપણી સામાન્ય પ્રવૃત્તિઓને એવી રીતે ઢાળવી જોઈએ કે બધું કૃષ્ણ માટે જ થાય. ત્યારે તમારું મન કૃષ્ણમાં સ્થિર થશે."
690218 - ભાષણ ભ.ગી ૦૬.૨૫-૨૯ - લોસ એંજલિસ