GU/690219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ખાલી જો તમે" કૃષ્ણ "નો જાપ કરો અને જો તમે સાંભળો તો આપોઆપ તમારું મન કૃષ્ણમાં સ્થિર થઈ જાય છે. તેનો અર્થ એ કે યોગ પ્રણાલી તરત જ પ્રાપ્ત થઈ જાય છે. વિષ્ણુ સ્વરૂપોના વિસ્તરણનું મૂળ વ્યક્તિત્વ કૃષ્ણ છે ... જેમ કે અહીં એક દીવો છે હવે, આ દીવોમાંથી, આ મીણબત્તીથી, તમે બીજી મીણબત્તી લાવી શકો છો, તમે તેને સળગાવશો. પછી બીજું, બીજું, બીજી — હજારો મીણબત્તી તમે વિસ્તૃત કરી શકો છો. દરેક મીણબત્તીમાં આ મીણબત્તી જેટલી શક્તિશાળી હોય છે. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ કોઈએ આ મીણબત્તીને અસલ મીણબત્તી તરીકે લેવી પડશે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ સ્વરૂપોમાં વિસ્તરી રહ્યા છે. દરેક વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ જેટલું સારું છે, પરંતુ કૃષ્ણ મૂળ મીણબત્તી છે કારણ કે કૃષ્ણથી બધું વિસ્તરિત થાય છે."
690219 - ભાષણ ભ.ગી ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ