GU/Prabhupada 0291 - હું આધીન થવા નથી ઈચ્છતો, નીચુ નમવા નથી ઇચ્છતો – તે તમારો રોગ છે

Revision as of 12:25, 30 April 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0291 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, September 30, 1968

પ્રભુપાદ: હા?

જુવાન માણસ: શું તમે આધીનતા ફરીથી સમજાવી શકશો?

તમાલ કૃષ્ણ: ફરીથી આધીનતા સમજાવવું.

પ્રભુપાદ: આધીનતા,તે સરળ છે. તમે આધીન છો. તમે સમજતા નથી કે આધીનતા શું છે? શું તે ખૂબજ અઘરું છે? શું તમે કોઈના આધીન નથી?

જુવાન માણસ: હવે, હા, તમે તેમ કહી શકો છો કે હું છું.

પ્રભુપાદ: હા. તમને હોવું પડે છે. બધા. બધા લોકોને આધીનતામાં હોવું પડે છે, આધીનતામાં.

જુવાન માણસ: તે, આધ્યાત્મિક દ્રષ્ટિએ, મને નથી લાગતું કે મને આધીન...

પ્રભુપાદ: સૌથી પેહલા તમે સમજો કે આધ્યાત્મિક જીવન શું છે, પછી... આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણે આધીન છે કારણ કે આપણો સ્વભાવ છે આધીનતા. આધ્યાત્મિક, આધ્યાત્મિક અને ભૌતિકનો અર્થ શું છે?

જુવાન માણસ: હવે, જેમ, મારો દેહ અહીં એક જગ્યા અને સમયે છે અને આ બધા (અસ્પષ્ટ) જો મને નોકરી છે ત્યારે હું આધીન છું પણ મારો આખો અસ્તિત્વ, મારો સાચો જીવ, મારી અંતરાત્મા... હું એમ નથી વિચારતો કે હું મારા માલિકના આધીન છું. હું વિચારું છું કે હું વધારે કે ઓછો સમાન જ છું. અસ્થાયી દ્રષ્ટિએ...

પ્રભુપાદ: હા. આ ચેતના ખૂબજ સારી છે, કે તમને ખૂબજ અસંતુષ્ટિ થાય છે તમારા બોસના આધીન હોવું. શું તેમ નથી?

જુવાન માણસ: ના, તે સાચું નથી.

પ્રભુપાદ: તો?

જુવાન માણસ: મને વિશેષ કરીને....

પ્રભુપાદ: કોઈ પણ.

જુવાન માણસ: મને નથી લાગતું. આ વિશેષ ઘટનાના સંબંધે કેહતા તે જરૂરી નથી કે હું તેના વિષે ઈર્ષ્યા કરીશ કારણ કે તે મારા ઉપર છે. કારણ કે મારા હિસાબે જીવોના હિસાબે અમે વધારે કે ઓછા પડતા સમાન જ છે. મારા કહેવાનો અર્થ છે કે, તમે જાણો છો, તે એક પ્રકારનો સિદ્ધાંત છે જે મારા પાસે છે. મને નથી લાગતું કે મને કોઈને માથું ટેકવું જોઈએ અને મને નથી લાગતું કે કોઈ મને માથું ટેકવું જોઈએ.

પ્રભુપાદ: કેમ? કેમ? કેમ માથું નીચે ટેકવું નહિ? કેમ?

જુવાન માણસ: કારણ કે મને નથી લાગતું કે હું તેનાથી કઈ ઉધાર માગું છું કે તે મારાથી કઈ ઉધાર માગે છે.

પ્રભુપાદ: તો તે રોગ છે. આપણે મજબૂર થઈએ છીએ નીચે ઝૂકવા માટે અને આપણે વિચારીએ છીએ કે, "મને નીચે ઝૂકવું ગમતું નથી". તે રોગ છે.

જુવાન માણસ: તે મને નીચે ઝૂકવા માટે મજબૂર નથી કરતા.

પ્રભુપાદ: હા.

જુવાન માણસ: તે મને કઈ પણ કરવા માટે બાધ્ય નથી કરતા. હું પણ ત્યાં છું અને તે પણ ત્યાં છે.

પ્રભુપાદ: નહિ. જરા સમજવાનો પ્રયાસ કરો. તે ખૂબજ સારો પ્રશ્ન છે. તમે કહો છો કે, "મને ઝૂકવું સારું નથી લાગતું? શું તેમ નથી?

જુવાન માણસ: તે મૂળ રૂપે સત્ય છે, હા.

પ્રભુપાદ: હા, કેમ?

જુવાન માણસ: કારણ કે મને નથી લાગતું કે હું તેનાથી ઓછો છું...

પ્રભુપાદ: તે રોગ છે. તમે પોતાનો જ રોગ શોધી કાઢ્યો છે. તે ભૌતિકતાનો રોગ છે. બધા તેમ વિચારે છે કે, "મને સ્વામી બનવું છે.મને નીચે ઝુકવું નથી." બધા તેમ વિચારે છે, માત્ર તમે જ નહિ. જરા પ્રયાસ કરો. આ રોગ છે, ભૌતિક રોગ. સૌથી પેહલા સમજવાનો પ્રયાસ કરો. તે તમારો રોગ કે મારો રોગ નથી. બધાનો આ જ રોગ છે, "હું કેમ નીચે ઝૂકુ?" કેમ હું આધીન બનું? પણ પ્રકૃતિ મને જોર આપે છે આધીન બનવા માટે. હવે કોને સારું લાગે છે મરવું? કેમ લોકો મરે છે? શું તમે તેનો જવાબ આપી શકશો.

જુવાન માણસ: કેમ લોકો મરે છે?

પ્રભુપાદ: હા.કોઈને પણ મરવું ગમતું નથી.

જુવાન માણસ: મને લાગે છે તે એક જૈવિક...

પ્રભુપાદ: જરા સમજવાનો પ્રયાસ કરો. કોણ અહીં છે...તેનો અર્થ છે જૈવિક શક્તિ. તમે જૈવિક વિજ્ઞાનના આધીન છો. ત્યારે તમે કેમ કહો છો કે તમે સ્વતંત્ર છો?

જુવાન માણસ: હવે,મને લાગે છે કે હું...

પ્રભુપાદ: તમને ખોટું લાગે છે. તે મારું કહેવાનું છે. તે તમારો રોગ છે.

જુવાન માણસ: મને એકલો લાગે છે?

પ્રભુપાદ: હા, ખોટું.

જુવાન માણસ: ખોટું?

પ્રભુપાદ: હા. તમે આધીન છો. તમને નીચે ઝૂકવું પડશે. જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે તમે નથી કહી શકતા, "હું તમને માનતો નથી" તેથી તમે આધીન છો.

જુવાન માણસ: હું ભગવાનનો આધીન છો, હા.

પ્રભુપાદ: નહિ, નહિ, તેમ નહિ.... હમણા ભગવાનને ભૂલી જાવો. અત્યારે આપણે સામાન્ય બુદ્ધિની વાતો કરીએ છીએ.

યુવાન માણસ: કૃષ્ણ...હું નથી...

પ્રભુપાદ: નહિ. કૃષ્ણની વાત ન કરો. તે દૂર છે. તમે જરા સમજવાનો પ્રયાસ કરો કે તમને મરવું નથી, કેમ તમને મરવું પડે છે?

જુવાન માણસ: કેમ મને મરવું પડે છે?

પ્રભુપાદ: હા. કારણ કે તમે આધીન છો.

જુવાન માણસ: ઓહ,હા.

પ્રભુપાદ: હા. ત્યારે તમે તમારી પરિસ્થિતિને સમજો, કે તમે આધીન છો. તમે ઘોષિત નથી કરી શકતા કે, "હું મુક્ત છું. હું આધીન નથી" જો તમે એમ ઈચ્છો છો કે, "મને આધીન નથી થાવું. મને નીચે નથી નમન કરવું.", તે તમારો રોગ છે.

જુવાન માણસ: તમે મને શું...શું...

પ્રભુપાદ: નહિ, તમે સૌથી પેહલા તમારો રોગને સમજવાનો પ્રયાસ કરો. પછી આપણે તેની ઔષધિનો શોધ કરીશું.

જુવાન માણસ: મને ખોટું લાગે છે, ઠીક છે, પણ કોને કે શું.. કોને હું નમન કરું, તમારા કહેવાનો અર્થ શું છે...

પ્રભુપાદ: તમે બધાને નમન કરો છો, તમે મૃત્યુને નમન કરો છો, તમે રોગને નમન કરો છો, તમે વૃદ્ધ અવસ્થાને નમન કરો છો. તમે કેટલા બધા વસ્તુઓને નમન કરો છો. તમે બાધ્ય છો. અને છતાં તમે વિચારો છો કે, "હું નીચે નથી નમન કરી શકતો. મને ગમતું નથી." કારણ કે તમે કહો છો કે, "મને ગમતું નથી." તેથી તમને બળ પૂર્વક નમન કરવું પડે છે. તમને નમન કરવું પડે છે. કેમ તમે તમારી પરિસ્થિતિને ભૂલી જાવો છો? તે આપણો રોગ છે. તેથી આગલું કદમ છે કે, "મને બળપૂર્વક નીચે નમન કરવુ પડે છે." હવે આપણે શોધવું પડશે કે, "કઈ જગ્યાએ હું નમન કરવા છતાં સુખી બનીશ?" તે કૃષ્ણ છે. તમારો નમન કરવાનું રોકાશે નહિ, કારણ કે તમે તેના માટે જ છો. પણ જો તમે કૃષ્ણને અથવા કૃષ્ણના પ્રતિનિધિને નમન કરો, ત્યારે તમે સુખી બનશો. આનુ પરીક્ષણ કરો. તમારે નમન તો કરવું જ પડશે. જો તમે કૃષ્ણ કે તેમના પ્રતિનિધિને નમન નહિ કરો, તો તમારે કઈ બીજાને નમન કરવું પડશે, માયા. તે તમારી અવસ્થા છે. તમે કોઈ પણ સમયે મુક્ત નહિ થઇ શકો. પણ તમને લાગશે... જેમ કે એક બાળક ચોવીસ કલાક તેના માતા-પિતાને નમન કરે છે. તેથી તે સુખી છે. તે સુખી છે. માતા કહે છે, "મારા પ્રિય બાળક, કૃપયા અહીં આવ, અહીં બેસી જા","હા" તે સુખી છે. તે સ્વભાવ છે. માત્ર તમારે શોધવું જોઈએ ક્યાં તમારે નમન કરવું પડશે, બસ. તે કૃષ્ણ છે. તમે તમારું નમન કરવું રોકી નથી શકતા, પણ તમારે જોવું જોઈએ કે ક્યાં નમન કરવું. બસ. જો તમે કૃત્રિમ રૂપે વિચાર કરશો કે, "હું કોઈને પણ નમન નથી કરવાનો. હું સ્વતંત્ર છું", ત્યારે તમે પીડિત થાશો. માત્ર તમારે ઠીક જગ્યા શોધવી પડશે જ્યાં તમે નમન કરી શકશો. બસ એટલું જ છે. ઠીક છે. જાપ કરો.