GU/Prabhupada 0292 - તમારા જ્ઞાન દ્વારા પરમને શોધી કાઢો
Lecture -- Seattle, October 4, 1968
પ્રભુપાદ: ગોવિંદં આદિ પુરૂષમ તમ અહં ભજામિ
ભક્તો: ગોવિંદં આદિ પુરૂષમ તમ અહં ભજામિ
પ્રભુપાદ: કોઈ તેને મદદ કરે છે? હા, તે ઠીક... તો આપણે ઉત્સુક છીએ આદિ પુરુષને પ્રાપ્ત કરવા માટે (હાસ્ય). આપણે કોઈ બીજા આધીન પુરુષથી ઉત્સુક નથી. ગોવિંદં આદિ પુરૂષમ. પણ જો કોઈ આદિ પુરુષને પ્રાપ્ત કરી લેશે, તો તે બધાને પ્રાપ્ત કરી જાય છે. જેમ કે તે જ ઉદાહરણ. વેદોમાં કહેવાયેલું છે, ઉપનિષદોમા, યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવં વિજ્ઞાતં ભવન્તિ. જો તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજી જાશો, ત્યારે તમે બધું સમજી જાશો. અલગથી બીજું કઈ સમજવાની જરૂર નથી. યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવં વિજ્ઞાતં ભવન્તિ. તેમજ, ભગવદ્ ગીતામાં પણ કહેવાયેલું છે,
- યમ લબ્ધવા ચાપરમ લાભમ
- મન્યતે નાધિકમ તતઃ
- યસ્મિન સ્થિતો ન દુઃખેન
- ગુરુનાપી વિચાલ્યતે
- (ભ.ગી.૬.૨૦-૨૩)
હવે આપણે, બધા, જીવનના તે સ્તરની ખોજ કરીએ છીએ જ્યાં કોઈ પણ ચિંતા ન હોય. તે બધાનું લક્ષ્ય છે. આપણે કેમ કષ્ટ ઉઠાવીયે છીએ? આપણે એક નિશ્ચિત લક્ષ્ય/બિંદુને પોહ્ચવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ કે બે દળ ફૂટબોલ રમી રહ્યા છીએ, તે દરેક, લક્ષ્યને પોહ્ચવાનો પ્રયાસ કરે છે. તે વિજય છે. તો બધા કઈ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, વિવિધ સ્તરના હિસાબે, વિવિધ પ્રકારના યુક્તિઓ અનુસાર. એમ નથી કે બધા એક જ વાત પાછળ જાય છે. કોઈ વ્યક્તિ ભૌતિક આનંદ પાછળ જાય છે, કોઈ નશાની પાછળ શોધ કરે છે, કોઈ મૈથુન પાછળ શોધ કરે છે, કોઈ ધન પાછળ શોધ કરે છે, કોઈ જ્ઞાન પાછળ શોધ કરે છે, કોઈ બીજા કેટલી બધા વસ્તુઓ પાછળ શોધ કરે છે, પણ, એક વાત છે. જો આપણે તે પ્રાપ્ત કરી શકીએ છીએ, તે સિદ્ધિને પ્રાપ્ત કરી શકીએ છીએ, ત્યારે આપણે સંતુષ્ટ થાશું અને આપણે કહેશું કે, "અમને બીજું કઈ જરૂર નથી." સ્વામિન કૃતાર્થો અસ્મિ વરં ન યાચે (ચૈ.ચ.મધ્ય.૨૨.૪૨). કેટલા બધા ઉદાહરણો છે. તો તેમ છે, અને તે કૃષ્ણ છે. જો તમે માત્ર કૃષ્ણને સમજી શકો છો, ત્યારે તમારું જ્ઞાન પુર્ણ છે. ત્યારે તમે બધું સમજી શકશો. તમે વિજ્ઞાનને સમજી શકશો, તમે ગણિતને સમજી શકશો, તમે રસાયણ શાસ્ત્રને, ભૌતિક વિજ્ઞાનને સમજી શકશો, ભૂગોળ, સિદ્ધાંત, સાહિત્ય, બધું. તે એટલું સરસ છે. તો ભાગવત કહે છે તેથી કે સંસિદ્ધિર હરિ-તોષણં (શ્રી.ભાગ.૧.૨.૧૩). જે પણ જ્ઞાનના વિભાગમાં કે કાર્યોના વિભાગમાં તમે સંલગ્ન છો, તેનો કોઈ વાંધો નથી, પણ જો તમે તે પરમને પ્રાપ્ત કરી શકશો, તમારા જ્ઞાન દ્વારા, તે તમારી સિદ્ધિ છે. તમે એક વૈજ્ઞાનિક છો, ઠીક છે, કોઈ વાંધો નથી. તમારા વૈજ્ઞાનિક સંશોધન દ્વારા તમે પરમને શોધી કાઢો. ત્યારે તે તમારી સિદ્ધિ છે. તમે વ્યાપારી છો? ઓહ, તમારા ધન દ્વારા બસ તમે પરમને શોધી કાઢવાનો પ્રયાસ કરો. તમે પ્રેમી છો? બસ તમે પરમ પ્રેમીને શોધી કાઢવાનો પ્રયાસ કરો. તમે રુચિ, સુંદરતાના પાછળ છો, કે...નાસ્તિકતા નહિ - સુંદરતા,રુચિ,સૌંદર્ય. જો તમે તે પરમને શોધી કાઢશો, ત્યારે સૌંદર્ય પાછળ તમારી શોધ સંતુષ્ટ થાશે. બધું. કૃષ્ણ, તે કૃષ્ણ છે. કૃષ્ણ એટલે કે સર્વ-આકર્ષક. તમે કોઈ વસ્તુના પાછળ ગોતી રહ્યા છો. જો તમને કૃષ્ણ મળી જાશે, ત્યારે તમે જોશો કે હા, મારુ લક્ષ્ય પ્રાપ્ત થઇ ગયુ છે. તેથી તેમનુ નામ કૃષ્ણ છે.