GU/Prabhupada 0302 - લોકો આત્મસમર્પણ કરવા માટે ઇચ્છુક નથી
Lecture -- Seattle, October 2, 1968
પ્રભુપાદ:તો અમે વાંચીએ છીએ ભગવાન શ્રી ચૈતન્યના શિક્ષાઓ. અમે અમારા પાછળના સત્રમાં પ્રારંભ કર્યું હતું,અને આપણે ફરીથી તેને વાંચશું. તમે વાંચશો?હા.
તમાલ કૃષ્ણ:પૃષ્ઠ ઓગણત્રીસ,પણ તમે વાંચવું ક્યાં પૂરું કર્યું હતું?
પ્રભુપાદ:ક્યાં પણ વાંચો,બસ.હા.
તમાલ કૃષ્ણ:ઠીક છે."ભગવદ્ ગીતામાં આપણને જ્ઞાન મળે છે સંવિધાનિક સ્તિથીનું વ્યાસથી વ્યક્તિનો કે તે અણુ આત્મા છે.તે પદાર્થ નથી. તેથી અણુ આત્માની જેમ તે અંશ છે,પરમાત્મા,પરમ સત્ય,પુરુષોત્તમ ભગવાનનો. આપણે તે પણ શીક્યું છે કે અણુ આત્માનો કર્તવ્ય છે શરણાગત થાવું,કારણ કે તે ત્યારે જ સુખી બની શકે છે. ભગવદ્ ગીતાનો છેલ્લો ઉપદેશ છે કે અણુ આત્મા પૂર્ણ રીતે શરણાગત થઇ જાય. પરમાત્મા,કૃષ્ણને,અને તે રીતે સુખનો અનુભવ કરે. અહીં પણ ભગવાન ચૈતન્ય સનાતનના પ્રશ્નોનો ઉત્તર આપે છે,અને તે જ સત્યને ફરીથી કહે છે, પણ તેમને અણુ આત્મા વિષે માહિતી નથી આપતા કારણ કે તે પેહલા જ ગીતામાં વર્ણિત છે."
પ્રભુપાદ:હા.વાત છે કે અણુ આત્માનો સંવૈધાનિક પરિસ્થિતિ શું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ખૂબ જ વિસ્તૃત રૂપે વર્ણિત છે. હવે ભગવદ્ ગીતામાં છેલ્લો ઉપદેશ,જેમ કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માંન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ (ભ.ગી.૧૮.૬૬) તેમને અર્જુનને બધા પ્રકારના યોગ પદ્ધતિયોં વિષે બતાવેલું છે, બધા પ્રકારના કર્મ કાંડી પદ્ધતિયોં,યજ્ઞો,અને સૈદ્ધાંતિક શુષ્ક ચિંતન, દેહનો સ્વરૂપ,આત્માનો સ્વરૂપ. બધું તેમને વર્ણિત કર્યું છે ભગવદ્ ગીતામાં. અને છેલ્લામાં તે અર્જુનને કહે છે,"મારા પ્રિય અર્જુન,કારણ કે તું મારો ખૂબજ નિકટ અને પ્રિય મિત્ર છે, તેથી હું તમને વૈદિક જ્ઞાનનો સૌથી રહસ્યમય ભાગ કહું છું." અને તે શું છે?"તું બસ મને શરણાગત થઇ જા.".બસ. લોકો શરણાગત થાવ માટે ઉત્સુક નથી,તેથી તેમને કેટલા બધા વસ્તુઓ શીખવા પડે છે. જેમ કે એક છોકરો,તે માત્ર તેમના માતા પિતાને શરણાગત થવાનો ભાવ છે,તે સુખી છે. સિદ્ધાંત શીખવાનો કોઈ જરૂરત નથી,કેવી રીતે સુખી બનીને રેહવું. બાળક પૂર્ણ રીતે તેના માતા પિતાના રક્ષણમાં છે અને તે સુખી છે. સરળ સિદ્ધાંત છે.પણ કારણ કે આપણે સભ્યતામાં,જ્ઞાનમાં ઉન્નતિ કર્યું છે, તેથી આપણને આ સરળ સિદ્ધાંતને કેટલા બધા શબ્દોના બ્રહ્મ દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે.બસ. તો જો તમને શબ્દોના ભ્રમમાં શીખવું છે,ત્યારે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં કોઈ પણ ઓછાપનું નથી. આપણા પાસે સિદ્ધાંતના ઉપર હજારો પુસ્તકો છે. પણ જો તમે આ સરળ પદ્ધતિને સ્વીકાર કરશો,ત્યારે આપણને... ભગવાન મહાન છે અને હું એક અંશ માત્ર છું,તેથી મારો કર્તવ્ય છે કે હું ભગવાનને સેવા કરીને શરણાગત થાવું.બસ. તો ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપ,સિદ્ધાંત અને જ્ઞાનની ચર્ચા કર્યા વગર, અને બીજા કેટલા બધા વસ્તુઓ,યોગ પદ્ધતિ,તે તરત જ શરૂઆત કરે છે કે જીવનો સ્વરૂપ છે કે તે આખા પરમની સેવા કરે. તે..તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાની શરૂઆત છે. તેનો અર્થ છે કે જ્યાં ભગવદ્ ગીતાના શિક્ષાનો અંત થયો,ત્યાંથી ચૈતન્ય મહાપ્રભુ પ્રારંભ કરે છે,
પ્રભુપાદ: હા.ચાલતા જાઓ.
તમાલ કૃષ્ણ:"તે તે બિંદુથી શરુ કરે છે જ્યાં કૃષ્ણ તેમનો છેલ્લો ઉપદેશ સમાપ્ત કર્યો હતો, તે મહાન ભક્તો દ્વારા સ્વીકૃત છે કે ભગવાન ચૈતન્ય સ્વયં કૃષ્ણ છે, અને જે બિંદુ ઉપર તેમને ગીતામાં તેમના શિક્ષાઓને વિરામ આપ્યો હતો,ત્યાંથી જ તે ફરીથી સનાતનને તેમના શિક્ષા આપવા પ્રારંભ કરે છે. ભગવાને સનાતનને કહ્યું હતું:"તમારું સંવૈધાનિક સ્વરૂપ છે કે તમે શુદ્ધ જીવાત્મા છો. આ ભૌતિક દેહ તમારું સાચું સ્વરૂપ નથી,નહીં મન તમારું સાચી પહેચાન છે. નહિ તમારી બુદ્ધિ,નહિ અહંકાર સ્વયંનું પહેચાન છે. તમારી પહેચાન છે કે તમે પરમ ભગવાન શ્રી કૃષ્ણના નિત્ય દાસ છો."
પ્રભુપાદ:હવે,અહીં થોડા મુખ્ય વિષયો છે,કે આપણા આત્મ સાક્ષાત્કારમાં, કે જે સ્થૂળ ભૌતિક સ્તર ઉપર છે,તે વિચારે છે કે,આ દેહ,"હું આ દેહ છું." હું આ દેહ છું,દેહ એટલે કે ઇન્દ્રિયો, તેથી મારી તૃપ્તિ એટલે કે ઇંદ્રિયોની તૃપ્તિ-ઇન્દ્રિય તૃપ્તિ. તે આત્મ-સાક્ષાત્કારનો સૌથી સ્થૂળ રૂપ છે. આ દેહ પણ સ્વયં છે.દેહ પણ સ્વયં છે,મન પણ સ્વયં છે,અને આત્મા પણ સ્વયં છે. આત્મા,પર્યાય.શરીર અને મન અને આત્મા,બંને...ત્રણે ને આત્મા કહેવાય છે. હવે આ જીવનના સૌથી સ્થૂળ સ્તર ઉપર,આપણે વિચારીયે છીએ કે આ દેહ આત્મા છે. અને સૂક્ષ્મ સ્તિથીમાં આપણે વિચારીયે છીએ કે મન અને બુદ્ધિ આત્મા છે. પણ વાસ્તવમાં,આત્મા શરીરના પારે છે,મનના પારે છે,બુદ્ધિના પારે છે. તે પરિસ્થિતિ છે. જે લોકો આત્મ-સાક્ષાત્કારના સૌથી સ્થૂળ સ્તર ઉપર છે,તે લોકો ભૌતિકવાદીઓ છે. અને જે લોકો મન અને બુદ્ધિના ધારણા ઉપર છે,તે તત્ત્વવાદીયો અને કવિયો છે. તે કઈ સિદ્ધાંત કાઢે છે,અને તે કોઈ કવિતા લખે છે,પણ તેમની ધારણા હાજી પણ ખોટું છે. અને જ્યારે તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવો,ત્યારે તે ભક્તિમય સેવા કહેવાય છે. તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવામાં આવે છે.