GU/Prabhupada 0303 - દિવ્ય. તમે પરે છો

Revision as of 09:51, 2 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0303 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ:આગળ વધો.

તમાલ કૃષ્ણ:"તમારી પરિસ્થિતિ છે કે તમે દિવ્ય છો."

પ્રભુપાદ:દિવ્ય."તમે પારે છો."તેને ભગવદ્ ગીતામાં વર્ણન કરવામાં આવેલું છે.

ઇન્દ્રિયાણી પરણ્યાહૂર
ઇન્દ્રિભેયઃ પરમ મનઃ
મનસસ તુ પરા બુદ્ધિર
યો બૂદ્ધે: પરતસ તુ સ:
(ભ.ગી. ૩.૪૨)

હવે,...સૌથી પેહલા,તમે આ દેહનો સાક્ષાત્કાર કરો.દેહ એટલે કે ઇન્દ્રિયો. પણ જ્યારે તમે આગળ વધશો,ત્યારે તમે જોશો કે મન આ બધા ઇન્દ્રિયના કાર્યોનો કેન્દ્ર છે. જ્યારે સુધી મન શક્તિશાળી નથી ત્યાર સુધી આપણે આપણા ઇન્દ્રિયો સાથે કાર્ય નથી કરી શકતા.તો ઈંદ્રીભયેયઃ પરમ મનઃ. તો ઇન્દ્રિયોના પારે/દિવ્ય સ્તિથીમાં, મન છે. અને મનના પારે,બુદ્ધિ છે. અને બુદ્ધિના પરે આત્મા છે. તે આપણને સમજવું જોઈએ.ચાલતા જાઓ.

તમાલ કૃષ્ણ:"કૃષ્ણની પરા શક્તિ સ્વરૂપમાં આધ્યાત્મિક છે,અને બાહ્ય શક્તિ ભૌતિક છે. તમે ભૌતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિના વચમાં છો,અને તેથી તમારી પરિસ્થિતિ તટસ્થ છે. બીજા શબ્દોમાં,તમે કૃષ્ણની તટસ્થ શક્તિના અંશ છો. તમે એક સાથેજ કૃષ્ણ સાથે એક છો અને ભિન્ન પણ છો. કારણ કે તમે આત્મા છો,તેથી તમે કૃષ્ણથી અભિન્ન છ, પણ કારણ કે તમે કૃષ્ણના નાનકડા અંશ છો,તેથી તમે તેમનાથી ભિન્ન છો."

પ્રભુપાદ: હવે,અહીં એક શબ્દનો પ્રયોગ થયો છે,તટસ્થ શક્તિ. તટસ્થા શક્તિ,વિશેષ સંસ્કૃત શબ્દનો પ્રયોગ થયો છે જે છે તટસ્થા જેમ કે ભૂમિના અંતમાં,સાગર પ્રારંભ થાય છે.તો એક તટસ્થ ભૂમિ છે. જેમ કે તમે પેસિફિક મહાસાગરના તટ ઉપર જાશો,ત્યારે તમને થોડી ભૂમિ મળશે. થોડા સમયે તે જળ દ્વારા આચ્છાદિત છે અને થોડા સમયે તે ખુલ્લું જમીન છે.તે તટસ્થા છે. તેમજ,આપણે આધ્યાત્મિક આત્માઓ,ભલે આપણે સંવૈધાનિક રીતે ભગવાન સાથે છે, પણ થોડા સમયે આપણે માયા દ્વારા આચ્છાદિત થાય છે,અને થોડા સમયે થોડા સમયે આપણે મુક્ત છીએ. તેથી આપણી પરિસ્થિતિ તટસ્થા છે. જ્યારે આપણે આપણી સાચી પરિસ્થિતિને સમજશું,ત્યારે...તે જ... જેમ કે તે જ ઉદાહરણ.જરા સમજવાનો પ્રયાસ કરો.કે.. ચોપાટી ઉપર તમને થોડું ભૂમિ નજર આવશે,જે થોડા સમયે જળ દ્વારા આચ્છાદિત રહે છે અને ફરીથી તે ભૂમિ બની જાય છે. તેમજ થોડા સમયે માયા દ્વારા આચ્છાદિત રહે છીએ,અપરા શક્તિ દ્વારા,અને થોડા સમયે આપણે મુક્ત રહીયે છીએ. તો આપણને તે મુક્ત અવસ્થાને પાલન કરવું જોઈએ. જેમ કે ખુલ્લા જમીનમાં,કોઈ જળ નથી. જો તમે સમુદ્ર જળથી થોડા દૂર આવી જાવો, ત્યારે કોઈ જળ નથી,તે આખું જામીન જ છે. તેમજ,જો તમે તમારી ભૌતિક ચેતનાથી થોડું દૂર રાખો, અને આધ્યાત્મિક ચેતના,અથવા કૃષ્ણ ભાવનામૃતના જામીનમાં આવો, ત્યારે તમે તમારી મુક્તિ રાખો છો. પણ જો તમે પોતાને તટસ્થ શક્તિમાં રાખશો, ત્યારે થોડા સમયે તમે માયા દ્વારા આચ્છાદિત થાશો અને થોડા સમયે મુક્ત રેહશો.તો આ આપણી પરિસ્થિતિ છે.