GU/Prabhupada 0698 - તમારી ઇન્દ્રિયોની સેવા કરવાને બદલે, કૃપા કરીને રાધા-કૃષ્ણની સેવા કરો, તો તમે સુખી થશો

Revision as of 23:29, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: શા માટે તમે રાધા-કૃષ્ણ ભાવનામૃત શીખવાડી રહ્યા છો?

પ્રભુપાદ: હમ્મ?

ભક્ત: તમે રાધા કૃષ્ણ ભાવનામૃત કેમ શીખવાડો છો?

પ્રભુપાદ: કારણકે તમે ભૂલી ગયા છો. તે તમારી સ્વાભાવિક સ્થિતિ છે. તમે રાધા-કૃષ્ણની સેવા ભૂલી ગયા છો, તેથી તમે માયાની સેવા કરી રહ્યા છો. તમે માયાના સેવક છો, તમારી ઇન્દ્રિયોના સેવક. તેથી હું શીખવાડું છું, કે "તમે તમારી ઇન્દ્રિયોની સેવા કરી રહ્યા છો, હવે તમારો વારો છે રાધા અને કૃષ્ણની સેવા કરવાનો, તમે ખુશ રહેશો. તમારે સેવા તો કરવી જ પડશે. ક્યાં તો રાધા-કૃષ્ણ અથવા માયા, ભ્રમ, ઇન્દ્રિયો. દરેક વ્યક્તિ ઇન્દ્રિયોની સેવા કરી રહ્યું છે. શું તેવું નથી?" કારણકે તે સંતુષ્ટ નથી. તે સંતુષ્ટ ના હોઈ શકે. તેથી હું તેમને સાચી માહિતી આપી રહ્યો છું - કે સેવા તો તમારે કરવી જ પડે. પણ તમારી ઇન્દ્રિયોની સેવા કરવાને બદલે, કૃપા કરીને રાધા-કૃષ્ણની સેવા કરો, તો તમે સુખી થશો. તમારી સેવક તરીકેને સ્થિતિ તે જ રહે છે, પણ હું તમને સારી સેવા આપી રહ્યો છું. જો તમે રાધા-કૃષ્ણની સેવા નહીં કરો, તો તમારે તમારી ઇન્દ્રિયો, માયા, ની સેવા કરવી પડશે. તો તમારી સેવકની સ્થિતિ રહેશે જ. જો તમે રાધા-કૃષ્ણની સેવા નહીં પણ કરો તો પણ. તેથી શ્રેષ્ઠ શિક્ષા છે કે તમારી ઇન્દ્રિયો, તમારા તર્કો, ની સેવા કરવાને બદલે, કૃપા કરીને રાધા-કૃષ્ણની સેવા કરો, તમે સુખી થશો. બસ તેટલું જ.

ભક્ત: પ્રભુપાદ? આ પ્રશ્ન પૂછાયો તે પહેલા તમે શ્લોકો વિશે વાત કરતાં હતા જે ભગવાન ચૈતન્ય આપણા માટે મૂકીને ગયા છે. હું સમજી ના શક્યો. એક બાજુ તેઓ કહે છે કે આ ભૌતિક જગતમાથી આપણે મુક્ત થવું નથી, આપણે માત્ર સેવા જ કરવી છે. અને પછી, બીજા શ્લોકોમાં, તેઓ કૃષ્ણને વિનંતી કરી રહ્યા છે આ મૃત્યુના મહાસાગરમાથી મુક્તિ માટે અને તેમને ભગવાનના કમળચરણોના એક અણુમાં સ્થિર કરવા માટે. આ મને વિરોધાભાસ લાગે છે, હું સમજી નથી શકતો...

પ્રભુપાદ: તે વિરોધાભાસ શું છે? કૃપા કરીને સમજાવો.

ભક્ત: તે એવું લાગે છે કે... તમે પહેલા સમજાવ્યું કે આપણે આ ભૌતિક મહાસાગરમાથી મુક્તિ માટે પ્રાર્થના ના કરવી જોઈએ. આપણે ફક્ત જ્યાં પણ આપણે હોઈએ કૃષ્ણની સેવા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૃત્યુના મહાસાગરમાથી મુક્તિ એક વિનંતી જેવુ લાગે છે તેમને આ ભૌતિક મહાસાગરમાથી બહાર લઈ જવા માટે. (અસ્પષ્ટ)

પ્રભુપાદ: ન ધનમ ન જનમ, મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિર અહૈતુકી (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪). મને તમારી સેવામાં સ્થિત થવા દો. આ પ્રાર્થના છે. અને બીજી પ્રાર્થના છે:

અયી નંદ તનુજા કિંકરમ
પતિતમ મામ વિશમે ભવામ્બુધૌ
કૃપયા તાવ પાદ પંકજ
સ્થિત ધૂલી સદ્રશમ વિચિંતય
(ચૈ.ચ. અંત્ય ૨૦.૩૨, શિક્ષાષ્ટક ૫)

બીજું, કે "તમે ફક્ત મને તમારા ચરણકમળોની ધૂળમાં સ્થિત કરો." તો એક શ્લોકમાં તેઓ કહે છે, "તમે મને તમારી સેવામાં પ્રવૃત્ત કરો", અને બીજા શ્લોકમાં તેઓ કહે છે, "તમે મને તમારા ચરણકમળોની ધૂળમાં સ્થિત કરો..." - ફરક શું છે? કોઈ ફરક નથી.