GU/Prabhupada 0821 - પંડિતનો મતલબ તે નહીં જેની પાસે ઉપાધિ છે. પંડિત મતલબ સમ-ચિત્ત

Revision as of 23:49, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 5.5.3 -- Vrndavana, October 25, 1976

કલિયુગમાં બ્રાહ્મણ મતલબ એક બે-પૈસાનો દોરો, બસ તેટલું જ. પણ તે બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ મતલબ સમો દમો તિતિક્ષા (ભ.ગી. ૧૮.૪૨). આ લક્ષણો છે. તેવી જ રીતે, મહાત્માનો મતલબ એક વસ્ત્ર નથી. પણ લોકોએ આ વસ્ત્રનો લાભ લીધો છે, વેશોપજીવીભી: (શ્રી.ભા. ૧૨.૩.૩૮). અને ભારતમાં હજુ, જોકે ગરીબી છે, જો એક વ્યક્તિ ફક્ત એક ભગવા રંગનું વસ્ત્ર ખરીદે ગામમાં જાય, તેને કોઈ સમસ્યા નથી. દરેક વ્યક્તિ તેને બોલાવશે, તેને આમંત્રણ આપશે, તેને શરણ આપશે, તેને ભોજન આપશે. હજુ, (હિન્દી: "માતાજી, અહી આવો, પ્રસાદ લો.") દરેક વ્યક્તિ પૂછશે. લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. કોઈ પણ શિક્ષા વગર, કોઈ પણ... તે લોકો આર્થિક સમસ્યા ઉકેલવા તેનો ફાયદો લે છે. અહી પણ વૃંદાવનમાં તમે જોશો ઘણા બધા લોકો આવ્યા છે કારણકે ઘણા બધા છાત્રો છે. તમે મફતમાં રોટલી, દાળ મેળવી શકો છો. તમે જોશો સવારમાં ઘણા બધા ઉન્માદી લોકો, તેઓ વૃંદાવનમાં આવે છે ફક્ત આ રોટલી અને દાળ માટે. અને તેઓ લે છે અને વેપાર કરે છે. તેઓ બીડી ખરીદે છે.

તો બધુ જ, કલિયુગમાં, દરેક વસ્તુનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ શાસ્ત્રે આપણને નિર્દેશ આપ્યો છે કે બ્રાહ્મણ કોણ છે, કોણ મહાત્મા છે. તો અહી એક પ્રકારના મહાત્માનું વર્ણન છે: મહાંતસ તે સમ ચિત્તા: (શ્રી.ભા. ૫.૫.૨) તેઓ સમદર્શી છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪). સમ: સર્વેશુ ભૂતેશુ. તે મહાત્મા છે. તેણે સાક્ષાત્કાર કર્યો છે, બ્રહ્મ સાક્ષાત્કાર, તો તેને કોઈ ભેદભાવ નથી, માણસ-માણસમાં અથવા માણસ-પ્રાણીમાં.

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવે હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમદર્શીન:
(ભ.ગી. ૫.૧૮)

પંડિતનો મતલબ તે નથી કે જેની પાસે ઉપાધિ છે. પંડિત મતલબ સમચિત્ત: તે સમચિત્ત: છે. ચાણક્ય પંડિતે પણ તે કહ્યું છે,

માતૃવત પરદારેશુ
પરદ્રવ્યેશુ લોષ્ટ્રવત
આત્મવત સર્વભૂતેશુ
ય: પશ્યતિ સ પંડિત:

તે પંડિત છે. નહિતો એક ધૂર્ત. માતૃવત પરદારેશુ. જેવુ તમે એક સ્ત્રીને જુઓ, તમારી પત્ની સિવાય, તમે તરત જ તેને સંબોધો "માતા." આ પંડિત છે. આ પંડિત છે. એવી વાત કરવી નહીં, 'ફિશ-ફિશ' બીજી સ્ત્રી સાથે. તે ધૂર્ત છે. તો માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટ્રવત: બીજાની સંપત્તિને સ્પર્શ ના કરવો. કચરાને કોઈ અડકતું નથી. પણ લોકો એટલા દુર્ભાગ્યશાળી છે. મે જોયું છે હોંગ કોંગમાં, તે લોકો કચરામાથી થોડું ખાવાનું ઉપાડે છે કુતરાઓની જેમ. મે જોયું છે. કોઈ વ્યક્તિ કોઈ ખોરાક ફેંકી દે છે, અને તે ઉપાડે છે. લોકો એટલા દુર્ભાગ્યશાળી છે. તો કચરાને કોઈ અડકતું નથી. પણ કલિયુગમાં વ્યક્તિએ થોડા કાગળ ઉપાડવા પડે, થોડા, મારા કહેવાનો મતલબ, કપડાંના ટુકડા, કચરામાથી ધંધો કરવા માટે. કચરાને અડવું ના જોઈએ, પણ છતાં કલિયુગમાં લોકો એટલા દુર્ભાગ્યશાળી છે કે તેઓ કચરામાથી કઈ કામની વસ્તુ ઉપાડે છે.

તો કઈ વાંધો નહીં, મહાંતસ, આ લક્ષણો છે. સમચિત્તા: તેમને આવી કોઈ વસ્તુ નથી હોતી, "ઓહ, અહી હિન્દુ છે, અહી મુસ્લિમ છે, અહી ધનવાન મનુષ્ય છે, અહી ગરીબ મનુષ્ય છે." ના. તે દરેક પ્રત્યે દયાળુ છે. તે ભગવદ યોગ્યતા છે.