GU/670327b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મારી હાલની પ્રવૃત્તિ આગળ એક બીજું ચિત્ર બનાવે છે. જેમ મારી ભૂતકાળની પ્રવૃત્તિઓએ આ શરીર બનાવ્યું છે. તેવી જ રીતે, મારી હાલની પ્રવૃત્તિ દ્વારા પણ હું મારું આગલું શરીર બનાવું છું. તો આત્માનું આ સ્થળાંતર ચાલ્યા કરે છે. પરંતુ જો તમે કૃષ્ણ ભાવનામૃતની આ પ્રક્રિયાને અપનાવો છો, તો પછી કર્મ-ગ્રંથિ-નિબંધન ચિન્દંતી. આ ગાંઠ, એક પછી એક, આ કાપી નાખવામાં આવશે. તો તેથી જો તે ખૂબ સરસ છે... ભાગવત કહે છે યદ-અનુધ્યાસિના. ફક્ત આ પ્રક્રિયાને અનુસરીને, યદ-અનુધ્યાસિના યુક્તા:, રોકાયેલા, કર્મ-બંધન-નિબંધનમ, એક પછી એક આપણી પ્રવૃત્તિઓના પરિણામનો ગૂંચળો, ચિન્દંતિ, કાપી નાખવામાં આવે છે. કોવિદા:, જો કોઈ બુદ્ધિશાળી માણસ હોય, તસ્ય કો ન કુર્યાત કથા-રતિમ. શા માટે બુદ્ધિશાળી માણસે પોતાને કૃષ્ણ વિષયો વિશે સાંભળવામાં સંલગ્ન ન કરવો જોઈએ? કોઈ મુશ્કેલી છે?"
670327 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૪-૧૬ - સાન ફ્રાન્સિસ્કો‎