GU/680623 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શું તમે એવું વિચારો છો કે પૂર્વ દિશા સૂર્યની જનની છે? કારણકે સૂર્ય પૂર્વ બાજુએથી જન્મે છે, તમે તેવું સ્વીકારી લો છો કે પૂર્વ બાજુ સૂર્યની માતા છે. તેવી જ રીતે, કૃષ્ણ તેવી રીતે પ્રકટ થાય છે, પણ તેનો મતલબ તેવો નથી કે તેમનો જન્મ થાય છે. તે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં કહેલું છે: જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતી તત્વત: 'જે પણ વ્યક્તિ સત્યમાં તે સમજે છે કે કેવી રીતે હું જન્મ લઉં છું, કેવી રીતે હું કાર્ય કરું છું, કેવી રીતે હું દિવ્ય છું...' ફક્ત આ ત્રણ વસ્તુઓ જાણવાથી - કેવી રીતે કૃષ્ણ જન્મ લે છે, કેવી રીતે તેઓ કાર્ય કરે છે, અને તેમનું વાસ્તવિક પદ શું છે - પરિણામ છે કે ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય: (ભ.ગી. ૪.૯) 'મારા પ્રિય અર્જુન, ફક્ત આ ત્રણ વસ્તુઓ જાણવાથી, વ્યક્તિ આ ભૌતિક શરીરનો ત્યાગ કર્યા પછી મારી પાસે આવે છે'. પુનર જન્મ નૈતિ: 'તે ફરીથી પાછો ક્યારેય નથી આવતો'. તો તેનો મતલબ, બીજા શબ્દોમાં, જો તમે કૃષ્ણનો જન્મ સમજી શકો, તો તમે હવે પછીના તમારા જન્મ અટકાવી દેશો. તમે આ જન્મ અને મૃત્યુમાથી મુક્ત થઈ જશો. તો કૃષ્ણ કેવી રીતે જન્મ લે છે તે સમજવાનો પ્રયત્ન કરો."
680623 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૬-૯ - મોંટરીયલ