GU/680720b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રકૃતિનું કાર્ય અદભુત રીતે ચાલી રહ્યું છે. જેમ કે... તે છે... આત્માની હાજરીને કારણે ઘણી બધી વસ્તુઓ અદભુત રીતે ચાલી રહી છે. તેવી જ રીતે, ભગવાન, પરમાત્માની હાજરીને કારણે પ્રકૃતિના આ તમામ કાર્યો ખૂબ જ અદભુત રીતે ચાલી રહ્યા છે. આ ભૌતિક પ્રકૃતિની સમજ છે. પછી ભગવાન, જીવ, ભૌતિક પ્રકૃતિ અને પછી સમય. સમય શાશ્વત છે. કોઈ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય નથી હોતું. તે મારી ગણતરી છે... તે સાપેક્ષતા છે. તે પ્રોફેસર આઇન્સ્ટાઇન દ્વારા આધુનિક વૈજ્ઞાનિક પ્રસ્તાવ છે. તમારો સમય અને મારો સમય... તેમણે એમ પણ કહ્યું છે કે ઉચ્ચ ગ્રહોમાં સમયનો પરિબળ જુદો છે. ઉચ્ચ ગ્રહમાં સમયનો પરિબળ - આપણા છ મહિના તેમના એક દિવસ બનાવે છે. જેમ કે આપણા ઘણા બધા યુગો બ્રહ્માના બાર કલાક બનાવે છે. તો સમય વિવિધ પદાર્થ અનુસાર છે. પરંતુ સમય શાશ્વત છે. વાસ્તવમાં, કોઈ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય અથવા મર્યાદા નથી. આ સમયની સમજ છે."
680720 - ભાષણ ભ.ગી. અવતરણ - મોંટરીયલ