GU/680722 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણી રજૂઆત એ છે કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો આ વૈવાહિક પ્રેમ અકુદરતી નથી. તે એકદમ સ્વાભાવિક છે, કારણ કે તે સંપૂર્ણ સત્યમાં છે, કારણ કે આપણને વૈદિક વર્ણનમાં મળે છે કે સંપૂર્ણ સત્ય, પરમ ભગવાન, યુગલ પ્રેમ સંબંધોમાં સંલગ્ન છે, રાધા- કૃષ્ણ. પરંતુ તે જ રાધા-કૃષ્ણ પ્રેમ પદાર્થ દ્વારા ફેલાયેલો છે. તેથી તે વિકૃત પ્રતિબિંબ છે. અહીં આ ભૌતિક જગતમાં કહેવાતો પ્રેમ વાસ્તવિક પ્રેમ નથી; તે વાસના છે. અહીં સ્ત્રી અને પુરુષ પ્રેમથી નહીં પણ વાસનાથી આકર્ષાય છે. તો આ કૃષ્ણ ભાવનામૃત સમાજમાં, કારણ કે આપણે પરમ સત્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, વાસનાનું રૂપાંતરણ શુદ્ધ પ્રેમમાં કરવું પડશે. તે પ્રસ્તાવ છે."
680722 - ભાષણ પરમાનંદ અને સત્યભામાનો વિવાહ - મોંટરીયલ